________________
૧૨૨ / ધન્ય આ ધરતી
પ્રયત્નો થઈ રહ્યા છે.
વેનેઝુએલામાં બ્રાચોએ નેચરલ હેલ્થ રી-એજ્યુકેશન મુવમેન્ટ (કુદરતી સ્વાથ્યના પુનર્શિક્ષણની ચળવળ)' શરૂ કરી છે. એમાં પુનર્શિક્ષણ શબ્દ ઘણો ચોટદાર છે. એ આપણને ભાન કરાવે છે કે આપણે કશું નવું શીખવા જેવું નથી, પણ જે ભૂલી ગયા છીએ એને પાછું મેળવવાનું છે.
આ ચળવળનો હેતુ લોકોને એ રીતે તૈયાર કરવાનો છે કે તેઓ જાતે જ પોતાની તંદુરસ્તી સાચવી અને વધારી શકે. અત્યારની કૃત્રિમ અને ભૌતિક સંસ્કૃતિએ કુદરતી સ્વાથ્ય અંગેના પાયાના સિદ્ધાંતોને કચડી નાખ્યા છે. એણે કુદરત અને માનવશરીર વચ્ચેની સમતુલાઓથી માણસોને વિખૂટા પાડી દીધા છે. આ સિદ્ધાંતો હજુ પણ દુનિયાના પરંપરાગત સમાજોમાં સચવાયા છે અને સ્થાનિક રીતરિવાજોમાં મળી આવે છે.
ચળવળનો ઉદ્દેશ આ પરંપરાઓને પુનઃજીવિત કરવાનો છે અને એ માટે એનો ભાર એના ઉપર છે કે આપણી ઉત્પાદન અને ઉપભોગની રીતો દરેક સ્થળે સ્થાનિક મળતાં કુદરતી દ્રવ્યો પર આધારિત હોવી જોઈએ. એટલે આ ચળવળ પર્યાવરણલક્ષી છે અને વ્યક્તિગત તેમ જ સ્થાનિક ધોરણે સ્વાવલંબન લાવવા માગે છે. ચળવળની કેન્દ્રીય પ્રવૃત્તિ કુદરતી અને તાજા ખોરાક દ્વારા તંદુરસ્તી અને પોષણ મેળવવાની છે. કુદરત આપણા શરીરને જરૂરી બધો પોષક ખોરાક આપે છે એટલું જ નહીં પણ માંદગી આવે તો પણ એને દૂર કરવાની જડીબુટ્ટીઓ આપે છે.
બ્રાચો કહે છે કે પહેલાના જમાનામાં ખોરાક પોતે જ દવા હતો. એટલે કે ખોરાક તરીકે એવી જ વસ્તુઓ લેવાતી કે માંદા ન પડાય. એટલે આજની જેમ દવા તો લેવી જ નહોતી પડતી પણ માંદા પડવાનો પણ સવાલ ઊભો જ નહોતો થતો.
આપણને તંદુરસ્ત રાખતાં આવાં કુદરતી પોષક દ્રવ્યો વિષુવવૃત્તની આજુબાજુ ઉષ્ણકટિબંધમાં પુષ્કળ પ્રમાણમાં છે. દુનિયામાં જે જુદીજુદી જાતની વનસ્પતિઓ છે, એમાંથી ૨/૩ ભાગની આ પ્રદેશોમાં ઊગે છે અને આજે એમાંની મોટા ભાગની વનસ્પતિઓ ઉપયોગમાં નથી લેવાતી.
વેનેઝુએલામાં વનસ્પતિશાસ્ત્રના અંદાજ પ્રમાણે એ દેશમાં ગતી ૭૦,૦૦૦ ઔષધીય વનસ્પતિઓમાંથી માત્ર આઠસો જેટલી જ અત્યારે ઉપયોગમાં લેવાય છે.
આ ચળવળ એ મુદ્દો ધ્યાને પર લાવે છે કે ખરેખર તો ઉષ્ણકટિબંધમાં વનસ્પતિઓની વિપુલતા, અનુકૂળ પ્રકાશ અને હવામાન, ફળદ્રુપ ધરતી અને જમાનાઓથી સંચિત થયેલા લોકોના પરંપરાગત જ્ઞાનનો ભંડાર છે. અને એટલે જ આ કટિબંધના દેશો જેમને ક્યારેક ત્રીજી કે છેલ્લી દુનિયા કહેવામાં આવે છે એમને પહેલી દુનિયા તરીકે ઓળખવા જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org