Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 136
________________ કુદરતમાં કશું નકામું નથી / ૧૨૯ મૂળિયાંના છેડા સુધી પહોંચી જાય છે. છોડને વધવા માટે જે પોષણ જોઈએ તે નજીકમાંથી જ મળી રહેતું હોય તો છોડ શા માટે ખોરાક મેળવવા દૂર સુધી મૂળ ફેલાવે - ટૂંકમાં, પાન અને અળસિયાં દ્વારા છોડને તૈયાર પોષણ પૂરું પાડવું એ ઉત્પાદનની ચાવી છે. આ માટે ઘરનાં બાળકો અને વડીલો પણ મદદ કરી શકે. પાન જ નહિ, ઘરનો બધો કચરો ખાતરમાં ફેરવી શકાય. કુદરતના જીવનચકમાં કશું જ નકામું નથી. પાનપથારી ત્રણ કામ કરશે. પહેલું તો જમીનમાંના ભેજને ઊડી જતો રોકશે. કુદરતમાં પણ આપણે જોઈએ છીએ કે ઉનાળો આવતાં પહેલાં વૃક્ષો પોતાનાં પાન ખેરવી પોતાને તળિયે પાથરી દે છે જેથી ઉનાળાની ગરમીથી જમીનમાંનો ભેજ ઊડી ન જાય. . " બીજું, પાન એ અળસિયાનો ખોરાક છે. એ ખોરાક તો અળસિયું ખાશે જ પણ સાથે સાથે અળસિયું માટી પણ ખાશે. અળસિયાનાં શરીરની રચના એવી છે કે તેના પેટમાં ચક્કી હોય છે. માટીના કણો અને સજીવ પદાથ આ ચક્કીમાં પિસાય છે અને અળસિયાંની અઘાર ઉત્તમ અને તરત જ પોષણ આપે એવું ખાતર બનાવે છે. ત્રીજી અને મહત્વની વાત એ છે કે અળસિયાં જ ખેતી કરશે. અળસિયાં કુદરતનાં ફળ છે. જમીનને ખેડવાથી કે ખોદવાથી તો ઊલટાનું આપણે જમીનમાંના જીવાણુઓના કુદરતી કમને ખોરવી નાખીએ છીએ. દરેક અળસિયું હવા લેવા માટે દિવસમાં ૯થી ૧૦ વાર જમીનમાંથી બહાર નીકળે છે અને પાછાં જમીનની અંદર જતાં નવું કાણું પાડે છે. આમ જમીન પોચી પડે છે. અળસિયાંએ બનાવેલાં એ પાતળાં પોલાણોમાં ભેજ સંઘરાઈ રહે છે. અને ખાતરનો કસ એ પોલાણોમાં થઈને છોડના મૂળના ટોચકા સુધી પહોંચે છે. અળસિયાંની ફરવાની રચના કેશનની જેવી હોય છે. એટલે ભેજ અને ઓગળેલો ખોરાક છોડ કે વેલના મૂળ પ્રદેશમાં રહે છે. એને પરિણામે જે કાંઈ ભેજ અને કસ હોય તેનો લગભગ સો ટકા છોડના વિકાસમાં ઉપયોગ થાય છે. પાનપથારી અને અળસિયાંની મદદથી શાકભાજી અને છોડ ૩૦ ટકા ઓછા - પાણીની મદદથી ઊગી શકે છે. અળસિયાંની મદદથી શાકભાજી ઉગાડવામાં ખેડ કે ગોડ કરવાની પણ જરૂર નથી. કારણ કે એ કામ અળસિયાં કરે છે. ઊલટાનું ગોડ કરવાથી અળસિયાં ઘવાય છે. જમીન ખુલ્લી થતાં પક્ષીઓ તેમને ખાઈ જાય છે. તેમણે બનાવેલી નાળો તૂટી જાય છે. જમીન પરનું વનસ્પતિનું પડ જતું રહે તો તે ઉપર સુધી આવતાં નથી. એટલે ગોડ કરવાને બદલે અળસિયાંનો ખોરાક પાંદડાં છોડની આજુબાજુ પાથરવાનું વધુ ઉપયોગી છે. આમ, નહીં ખેડ, નહીં ખાતર, નહીં જોખમી રાસાયણિક જંતુનાશકો, માત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162