Book Title: Chidvilas Author(s): Dipchand Shah Kasliwal Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભૂમિકા [૧] આ ગ્રંથનું નામ શ્રી “ચિવિલાસ' છે. તેના કર્તા પ. દીપચંદજી શાહુ કાશલીવાલ છે. આ ગ્રંથમૂળ હિંદી (–ટૂંઢારી) ભાષામાં છે. તેમાં આપવામાં આવેલા વિષયો મુમુક્ષુઓ સરળતાથી સમજી શકે તેથી ગુજરાતી ભાષામાં તેનો અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવે છે. [૨] વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજ્યા વગર કોઈ જીવ કદી પણ ધર્મ લેશમાત્ર કરી શકે નહિ. અને વસ્તુસ્વરૂપ સમજવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન કરવાની જરૂરિયાત હોવાથી આ ગ્રંથમાં તેનું સ્વરૂપ અનેક પડખાંઓથી સમજાવવામાં આવ્યું છે. તેમાંથી ખાસ લક્ષમાં રાખવા લાયક કેટલાક વિષયો તરફ મુમુક્ષુઓનું ધ્યાન અહીં ખેંચવામાં આવે છે આત્માનો સર્વજ્ઞ સ્વભાવ [૩] ઘણા જીવો કહે છે કે આત્માનો સર્વજ્ઞસ્વભાવ ન હોઈ શકે; અને તેનું કારણ તેઓ એવું કહ્યું છે કે જો સર્વજ્ઞને માનીએ તો આત્માનો કાંઈ પુરુષાર્થ રહેતો નથી. વળી તેઓ એમ કહે છે કે પર સંબંધીનું આત્માનું જ્ઞાન વ્યવહારનયે છે અને વ્યવહાર જpઠો છે માટે સર્વશપણું જૂઠું છે. તેમની આ માન્યતાઓ તદ્દન મિથ્યા છે એમ આ ગ્રંથમાં નીચેના શબ્દોમાં કહ્યું છે: Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 142