Book Title: Charitrya Suvas
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
થાપણ જલદી પાછી આપી દે
બિરવરિયા નામની એક ઉચ્ચ વિચારની સંત બાઈ હતી. તેના પતિનું નામ મહાત્મા રબ્બી હતું. તેમને બે બુદ્ધિશાળી પુત્રો હતા. દુર્ભાગ્યવશ બેઉ પુત્રો સર્પદંશથી એકસાથે મૃત્યુ પામ્યા. તે વખતે મહાત્મા રબ્બી ઘેર ન હતા. બાઈને તત્ક્ષણ દુઃખ થયું, પણ સંસ્કારી હોવાથી તાત્ત્વિક વિચાર કર્યો કે જે બન્યું છે તે ફરી શકે તેમ નથી. જન્મમરણનો પ્રવાહ કોઈનાથી રોકી શકાતો નથી. સમય પૂરો થાય એટલે સૌએ ચાલ્યા જવાનું હોય છે. પરમાત્માની માયા જ એવી છે.
૧૫
પતિ ઘેર ન હોવાથી છોકરાનાં શબને પાસેના ઓરડામાં રાખી મૂક્યાં. જ્યારે પોતાના પતિ ઘેર આવ્યા ત્યારે જાણે કાંઈ જ બન્યું નથી એમ હસતે મુખેથી તે સામી ગઈ અને માનથી પતિને બેસાડ્યા પછી પ્રેમથી પૂછવા લાગી, ‘આપણે ત્યાં કોઈની થાપણ છે તો તેને પાછી આપીં દઉં ?' રબ્બી બોલ્યા : ‘અત્યારે જલદી આપી દે. એમાં સમય ગુમાવવો યોગ્ય નથી.'
ત્યારે બાઈ રબ્બીને સ્વસ્થ ચિત્તે ઓરડામાં લઈ ગઈ. પુત્રોનાં શબ ઉપરની ચાદર દૂર કરી બોલી : ‘જોઈ લો. આ ભગવાને આપણે ત્યાં મૂકેલી થાપણ !' રબ્બી તો આ જોઈ સ્તબ્ધ થઈ ગયાં. બાઈ બોલી, ‘ખુદાના આપ્યા ને ખુદાએ લીધા તેમાં આપણે શું ?'
રબ્બી પોતાની સ્ત્રીની આ સમજ જોઈ પ્રસન્ન થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104