Book Title: Charitrya Suvas
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
૮૦
ચારિત્ર્ય-સુવાસ
પોતાનું ગુજરાન ચલાવતા. એક વખત ધનાશાહે પોતાના માટે જ સૂતર તાવી તેમાંથી ચોફાળ વણાવ્યો, જેથી શિયાળામાં ઓઢવા કામ આવે.
એક દિવસ શાકંભરી નગરીમાં મહારાજ કુમારપાળના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય પધાર્યા. એમને મન તો શ્રીમંત અને રંક સૌ સમાન હતા. આવા મહાન આચાર્યને પોતાને ત્યાં પધારેલા જોઈ ધનાશાહને ખૂબ ભાવ આવ્યો, એટલે તેણે સૂઝતો આહાર વહોરાવ્યો, અને પેલો ચોફાળ પણ વહોરાવી દીધો. શ્રી હેમચંદ્રાચાર્યે તેને ગ્રહણ કર્યો.
કેટલાક દિવસે શ્રી હેમચંદ્રાચાર્ય પાટણ પધાર્યા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. સામૈયામાં મહારાજ પોતે પણ સામેલ હતા. શ્રી હેમચંદ્રાચાર્યનો ચોફાળ જોઈ રાજાએ કહ્યું, “ભગવાન ! આપ તો મારા ગુરુ ગણાવ. તમે આવા જાડા ચોફાળ જેવાં કપડાં પહેરો તે જોઈ મને શરમ આવે છે.” હેમચંદ્રાચાર્યે જવાબ આપ્યો, “તમે રાજા છો પણ તમારા જ સાધર્મિક ગરીબ હાલતમાં રહે છે અને જેમ તેમ ગુજરાન ચલાવે છે એથી તમને શરમ નથી આવતી ? અમને મુનિઓને શું ? અમને તો અલ્પ મૂલ્યવાન અને જીર્ણ વસ્ત્ર જ શોભે.'
આ ઉપદેશની એવી અસર થઈ કે કુમારપાળે સાધર્મિક વાત્સલ્ય પાછળ દર વર્ષે ૧ કરોડ સોનામહોર ખર્ચવાનો નિર્ણય કર્યો. આ રીતે ૧૪ વર્ષ સુધી ૧૪ કરોડ સોનામહોરનો સદ્વ્યય કર્યો. ઇતિહાસમાં કુમારપાળે સાધર્મિક વાત્સલ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું.
ઉપદેશ કરતાં આચરણની અસર ત્વરિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104