Book Title: Charitrya Suvas
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
ચારિત્ર્ય-સુવાસ
ચીજ આજથી છોડી !'
ગાંધીજીના સ્વભાવને જાણનારી પત્નીએ બૂમ પાડી, ‘મને માફ કરો, તમે તમારું વેણ પાછું ખેંચો, હું એ બંને ચીજો છોડું છું.’
પ્રસંગ તો નાનો છે, પણ જીવનમાં સૌએ યાદ રાખવા જેવો છે. ઉપદેશ કરતાં પહેલાં આચરણ પર ધ્યાન આપો. અસર ચારિત્રની પડે છે, વાતોની નહીં.
ગાંધી બાપુ અને કસ્તૂરબા પાછળથી ભારતના કરોડો માનવીના હૃદયમાં છવાઈ ગયાં તેની પાછળ સંસ્કાર અને આચરણનો સધાયેલો સુમેળ અને તેના વડે તેમના જીવનમાંથી આવતી સુવાસ કારણભૂત હતાં.
Jain Education International
८७
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104