Book Title: Charitrya Suvas
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
વેપારીની પ્રામાણિકતા
ગુજરાતની ઉત્તરે કચ્છના પ્રદેશમાં માંડવી નામનું એક બંદર છે. થોડા દશકા પહેલાં આ બંદરેથી દેશપરદેશ સાથેનો વેપાર મોટા પ્રમાણમાં ચાલતો અને વિવિધ દેશોમાંથી અનેક વહાણો અહીં ખાલી થતાં.
૫૩
આ ગામમાં એક ઇમાનદાર વેપારી રહે. તેના જીવનનો મુદ્રાલેખ જ પ્રામાણિકતાનો; જેથી આખા પ્રાંતમાં તેની શાખ હતી.
એક વાર જામનગરથી રેશમી કાપડની ગાંસડીઓ આવી, પણ કોઈ કારણસર શેઠની પાસે તે છોડાવવા માટેની રસીદો ન પહોંચી શકી. ઘરાકોના દબાણને લીધે શેઠે મુનીમજીને બંદર ઉપર મોકલ્યા અને માલ છોડાવી લાવવા કહ્યું. શેઠની શાખથી કસ્ટમ ઑફિસરે જકાત લઈ માલ છોડાવી મુનીમજીને સોંપ્યો.
ઘરાકોને માલ પહોંચાડી શેઠે રસીદ જોઈ તો જકાતની ૨કમ બહુ જ નાની લાગી. શેઠે મુનીમજીને બોલાવી પૂછ્યું તો મુનીમજીએ કહ્યું કે રેશમી કાપડ પર ચારગણી જકાત હોવાથી વહાણમાં સુતરાઉ કાપડ આવ્યું છે એમ મેં કસ્ટમ ખાતાને જણાવેલું જેથી આપણી જકાત બચી જાય.
શેઠ તુરત જ રસીદ લઈને કસ્ટમ ખાતામાં ગયા અને કસ્ટમઑફિસરની માફી માગી અને ચારગણી રકમ જકાતમાં ભરી દીધી. ઘેર આવીને મુનીમજીને કહ્યું કે આવું અપ્રામાણિક કાર્ય ભવિષ્યમાં કદી પણ કરશો તો મારી પેઢીમાંથી તુરત જ છૂટા કરીશ.
શેઠની પ્રામાણિકતા જોઈ મુનીમજી તો ડઘાઈ જ ગયા, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104