Book Title: Charitrya Suvas
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
૪૨
ચારિત્ર્ય-સુવાસ
શ્રીમદ્ મુખોપાધ્યાયે આ વાંચ્યું ત્યારે તરત જ તેમણે સુધારો કરાવ્યો : “જે જે મહાનુભાવોએ આ ટ્રસ્ટની શિષ્યવૃત્તિ સ્વીકારવાની સહર્ષ અનુમતિ આપવાની મહેરબાની કરી તેઓની શુભનામાવલી નીચે પ્રમાણે છે.”
જુઓ ભારતીય સંસ્કૃતિના મહાન પુરસ્કર્તાઓની વિદ્વાનો માટેની અને વિદ્યા માટેની ઉદાત્ત ભાવના ! તેમના મનમાં વિદ્વાનો અને સરસ્વતીના આરાધકો પ્રત્યે કેટલું બહુમાન હશે તેનો આવા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે.
૩૮
હિંદીના પ્રસિદ્ધ કવિ ભારતેન્દુ હરિશ્ચન્દ્ર પોતાની ઉદારતા માટે ખૂબ જ જાણીતા હતા. તેમના જીવનમાં એક સમય એવો આવ્યો કે પોતે લખેલા કાગળ ટપાલમાં નાખવા માટે તેમની પાસે ટિકિટના પૈસા પણ નહોતા. આમ હોવા છતાં તેઓ ટપાલનો જવાબ લખી, તે ટપાલ પોતાના ટેબલ ઉપર મૂકી રાખતા.
એક વખત તેમના એક મિત્ર તેમને મળવા આવેલા. તેમણે ટપાલનો થોકડો જોયો અને બધી વાત સમજી ગયા. તુરત જ ટિકિટો લઈ આવીને બધી ટપાલ પોસ્ટ કરી દીધી.
થોડા સમય પછી ભારતેન્દુની આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ. પેલા જૂના મિત્ર મળે ત્યારે ભારતેન્દુજી તેમને પોસ્ટની ટિકિટના પાંચ રૂપિયા આપે પણ મિત્ર તેનો અસ્વીકાર જ કરે.
આખરે ભારતેન્દુજીના મિત્ર થાક્યા ત્યારે કહે, “જો તમે પાંચ રૂપિયાની વાત કાઢશો તો મારે તમને મળવા આવવાનું બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104