Book Title: Charitra Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 280
________________ સંસ્થાને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી તથા વિદેશી સંસ્થાઓ તરફથી ઘણો સારો આર્થિક સહકાર સાંપડ્યો હતો. સંઘના ઉપક્રમે અપંગોને આર્થિક સહાય આપવાની યોજના કરવામાં આવી હતી અને એ નિમિત્તે પણ વિજયભાઈને મળવાનું ઘણી વાર બન્યું હતું. દુખી લોકોનું દુઃખ હળવું કરવા માટે તેઓ કેટલો જબરો પુરુષાર્થ કરી રહ્યા છે તે જોઈ હર્ષ થતો હતો. વિજયભાઈની સમાજસેવાનું ક્ષેત્ર અંધ અને અપંગોને પગભર કરવા માત્રમાં સીમિત રહ્યું નહોતું. એવી વ્યક્તિઓની યોગ્યતાનો વિચાર કરીને ક્યારેક તેઓ એવાં બે પાત્રોનાં લગ્ન પણ ગોઠવી આપતા. કોઈ સ્ત્રીને ધણીનો ત્રાસ હોય કે કોઈ દુખી સ્ત્રી-પુરુષને ઘર કે જમીનનો પ્રશ્ન હોય, કોઈને છૂટાછેડા લેવા હોય તો તેવા ગરીબ માણસોને પરગજુ વિજયભાઈ વકીલની મફત સેવા મેળવી આપી કોર્ટના કામકાજમાં પણ સહાય કરતા. આટલું બધું કામ કરનારી વ્યક્તિને માથે પત્ર દ્વારા કે ટેલિફોન દ્વારા કે રૂબરૂ મુલાકાત દ્વારા સમય ફાળવવાનો આવે તો તેને ક્યારેક થાક પણ લાગે, પરંતુ વિજયભાઈ દુખી વ્યક્તિ પોતાની એકની એક વાત વારંવાર કહે તોપણ કંટાળતા નહિ. બલકે સમભાવ અને સહાનુભૂતિથી પૂરો સમય આપી વાત સાંભળતા અને યોગ્ય માર્ગદર્શન કે સલાહ-સૂચન આપતા. આટલું બધું કામ કરતા હોવા છતાં એમનાં વાણી અને વર્તનમાં, એમના ખાનદાન ભાટિયા કુટુંબની સ્વાભાવિક વિનમ્રતા ડગલે ને પગલે દેખાતી. ક્રિકેટના ખેલાડી તરીકે વિજયભાઈની પ્રતિભા અને પ્રતિષ્ઠા અનોખી હતી. ક્રિકેટમાં પણ તેઓ ખેલદિલ અને સિદ્ધાંતવાદી હતા. એક બાજુ ખેલાડી તરીકે પોતાની પ્રતિષ્ઠાનું હિત હોય અને બીજી બાજુ આખી ટીમનું હિત હોય તો તેઓ ટીમના હિતને ખાતર પોતાની અંગત સિદ્ધિને જતી કરતા. ટીમને ખાતર સદી-સેંચરી કરવાની તક મળી હોય તો તે પણ તેઓ જતી કરતા. ક્રિકેટની ટેસ્ટમેચોમાં ઓપનિંગ બૅટૂટ્સમેન તરીકે વિજયભાઈની ખ્યાતિ ઘણી મોટી હતી. તેઓ દઢ વિશ્વાસપૂર્વક ઘણા રન કરી શકતા. ક્રિકેટના ઇતિહાસમાં રનની સરેરાશની દૃષ્ટિએ બેડમેન પછી વિજયભાઈનું નામ ગણાય છે. લેગકટના પ્રકારના ફટકા મારવાની એમની શૈલી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી હતી. કૉમેન્ટેટર તાત્યારખાન એને વિજુલા-કટ' તરીકે ઓળખાવતા. કુનેહ તથા તાકાતથી જરા પણ સંક્ષોભ પામ્યા વગર પૂરી સ્વસ્થતાથી રમવાની એમની પદ્ધતિએ ક્રિકેટના ક્ષેત્રમાં એમને ઘણી મોટી સિદ્ધિ અપાવી હતી. પ્રતિષ્ઠાની ટોચે હતા ત્યારે જ વિજયભાઈ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા. તેઓ કહેતા કે સારા ખેલાડીએ પ્રતિષ્ઠાની ટોચે પહોંચતાં જ નિવૃત્ત થઈ જવું જોઈએ. કોઈ પણ સ્થાનને ઝાઝો વખત વળગી રહીને ઝાંખું પાડવું તે યોગ્ય નથી. એમની એ સૂઝ ૨૨૮ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344