Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 54
________________ ( પાઠ ૨૮ : પહેલા ખામણા ) (અરિહંત ભગવંતોને) (ખામણાની વિધિ : ભૂમિ ઉપર બંને ગોઠણ ઢાળી, બંને હાથની કોણીઓ નાભિએ અડાડીને રાખવી તથા બંને હાથ જોડી રાખી સ્થિર ચિત્તે ખામણા બોલવા.) પહેલા ખામણા પંચ મહાવિદેહ ક્ષેત્રને વિશે જયવંતા તીર્થકર દેવ બિરાજે છે, તેઓને કરું છું. તે સ્વામીના ગુણગ્રામ કરતાં જઘન્ય રસ ઊપજે તો કર્મની ક્રોડો કર્મ ખપે, અને ઉત્કૃષ્ટ રસ ઊપજે, તો આ જીવ તીર્થકર નામગોત્ર ઉપાર્જે. હાલ બિરાજતા વીસ તીર્થંકરોનાં નામ કહું છું : પહેલાં શ્રી સીમંધર સ્વામી અગિયારમા શ્રી વજધર સ્વામી બીજા શ્રી જગમંદિર સ્વામી બારમા શ્રી ચન્દ્રાનન સ્વામી ત્રીજા શ્રી બાબુ સ્વામી તેરમા શ્રી ચંદ્રબાહુ સ્વામી ચોથા શ્રી સુબાહુ સ્વામી ચૌદમા શ્રી ભુજંગદેવ સ્વામી પાંચમાં શ્રી સુજાતનાથ સ્વામી પંદરમાં શ્રી ઈશ્વર સ્વામી શ્રી સ્વયંપ્રભ સ્વામી સોળમા શ્રી નેમિપ્રભ સ્વામી સાતમા શ્રી ઋષભાનન સ્વામી સત્તરમા શ્રી વીરસેન સ્વામી આઠમા શ્રી અનંતવીર્ય સ્વામી અઢારમા શ્રી મહાભદ્ર સ્વામી નવમા શ્રી સૂરપ્રભ સ્વામી ઓગણીસમા શ્રી દેવજશ સ્વામી દશમા શ્રી વિશાલપ્રભસ્વામી વિીસમા શ્રી અજિતસેનસ્વામી એ જઘન્ય તીર્થકર ૨૦ અને ઉત્કૃષ્ટ હોય, તો ૧૬૦ (અથવા ૧૭૦) તેઓને મારી (તમારી) સમય સમયની વંદના હોજો. તે સ્વામીનાથ કેવા છે? મારા-તમારા મન - મનની વાત જાણી-દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી-દેખી રહ્યા છે. સમય સમયની વાત જાણી-દેખી રહ્યા છે. ચૌદ રાજલોક અંજલિ જલ પ્રમાણે જાણી-દેખી રહ્યા છે. તે સ્વામીને અનંત જ્ઞાન છે, L_52 પ્રતિક્રમણ સૂત્ર છઠ્ઠા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84