Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation
View full book text
________________
(૭) વીસ તીર્થંકર પ્રભુજી ! મારા આત્માનું સ્વરૂપ છે અવેદી, છતાં મારા આત્માએ સ્ત્રીવેદમાં, પુરુષ વેદમાં, નપુંસક વેદમાં દૃષ્ટિથી, પોશાકથી, ખોરાકથી અને ભાષાથી, મન-વચન-કાયાના યોગોથી એ સાત પ્રકારે અબ્રહ્મનું સેવન કરી, કરાવી, અનુમોદના કરી ચીકણાં ગાઢાં કર્મ ઉપાર્જન કર્યાં છે. તે વિષયાંધ આત્માને કરોડોવાર ધિક્કાર...!!! આપના જેવું અવેદી, નિર્વિકારી સ્વરૂપ પ્રગટ કરવાની મને ભવોભવ શક્તિ આપો. મારા આત્માનું આપના જેવું અવેદી સ્વરૂપ પ્રગટ થશે, તે દિવસ ધન્ચ થશે !
(૮)
(૯)
વીસ તીર્થંકર પ્રભુજી ! મારા આત્માનું સ્વરૂપ છે અપરિગ્રહ છતાં મારા આત્માએ સચેત, અચેત અને મિશ્ર પરિગ્રહ ભેગો કરી, કરાવી, અનુમોદના કરી, ચીકણાં ગાઢાં કર્મ ઉપાર્જન કર્યાં છે. તે આત્માને કરોડોવાર ધિક્કાર...!!! બાહ્ય પરિગ્રહ નવ પ્રકારનો અને આત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારનો છોડવાની મને શક્તિ આપો.
અઢાર પાપસ્થાનક, પચ્ચીસ પ્રકારનું મિથ્યાત્વ અને ચૌદ પ્રકારના સંમૂચ્છિમ જીવોની વિરાધના સંબંધી કોઈ પ્રકારનું પાપ લાગ્યું હોય, તો અરિહંત, સિદ્ધ, કેવલી ભગવાનની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં.
તસ્સ
(૧૦) ૮૪ લાખ જીવા યોનિના જીવોને, હાલતાં, ચાલતાં ઊઠતાં-બેસતાં, છેદ્યા હોય, મેઘા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય, તો તસ્સ મિચ્છામિ દુક્કડં.
(૧૧) હું જગતના સર્વ જીવોને ખમાવું છું. જગતના સર્વ જીવો મારા અપરાધ માફ કરો. બધા જીવો સાથે મારે મિત્રતા છે, કોઈની સાથે વેર નથી.
78
Jain Education International
પ્રતિક્રમણ સૂત્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/da696d7f3754387159336667120cb8f621869733019ded41cd48f752a8f1f020.jpg)
Page Navigation
1 ... 78 79 80 81 82 83 84