Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 60
________________ પાઠ ૩૧ : ચોથા ખામણા (ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજીને) ચોથા ખામણા ગણધરજી આચાર્યજી ઉપાધ્યાયજીને કરું છું. ગણધરજી બાવન ગુણે કરી સહિત છે. આચાર્યજી છત્રીસ ગુણે કરી સહિત છે. ઉપાધ્યાયજી પચ્ચીસ ગુણે કરી સહિત છે. મારા-તમારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મ ઉપદેશના દાતાર, પંડિતરાજ, મુનિરાજ, ગીતાર્થ બહુસૂત્રી, સૂત્ર સિદ્ધાંતના પારગામી, તરણતારણ તારણી નાવા સમાન, સફરી જહાજ સમાન, રત્નચિંતામણિ સમાન, પારસમણિ સમાન, જિનશાસનના શણગાર, ધર્મના મુખી, ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક, એવી અનેક શુભ ઉપમાએ કરી બિરાજમાન હતા પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી જશાજી મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબ આદિ લઈને ઘણા ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, આલોવી, પડિક્કમિ નિન્દી નિઃશલ્ય થઈને, પ્રાયઃ દેવલોકે પધાર્યા છે, તેમનો ઘણો ઘણો ઉપકાર છે. આજ વર્તમાનકાળે તરણ તારણ તારણી નાવા સમાન; સફરી જહાજ સમાન, રત્ન ચિંતામણિ સમાન, કલ્પવૃક્ષ સમાન, જિનશાસનના શણગાર, ધર્મના મુખી, ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક એવી અનેક શુભ ઉપમાએ કરી બિરાજમાન પૂજ્ય શ્રી.............. આદિ ઘણાં ઘણાં સાધુ-સાધ્વીજીઓ વીતરાગ દેવની આજ્ઞામાં જ્યાં જ્યાં બિરાજતાં હોય, ત્યાં ત્યાં તેઓને મારી તમારી સમય સમયની વંદના હોજો. * પોતાના ઉપકારી તથા બિરાજીત સંત-સતીજીઓનાં નામ બોલવાં. 58 પ્રતિક્રમણ સૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84