Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 70
________________ બીજે જ દુખ છે કે - મિ પડિમા, સાધુજીનાં પાંચ મહાવ્રત તથા બાર ભિક્ષુની પડિમા. શુભ ધ્યાન, શુભ જોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને છકાય જીવની રક્ષા એ વીતરાગદેવની આજ્ઞા આરાધવી. તેમાં સમય માત્રનો પ્રમાદ ન કરવો. ચતુર્વિધ સંઘના ગુણકીર્તન કરવાં. આ ધર્મધ્યાનનો પહેલો ભેદ કહ્યો. બીજો ભેદ અવાય વિજએ - અવાય વિજએ કહેતાં - જીવ સંસારમાં દુઃખ શા માટે ભોગવે છે ? તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે – મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભયોગ, અઢાર પાપ સ્થાનક અને છકાય જીવની હિંસા, એથી કરીને જીવ દુઃખ પામે છે. માટે એવું દુઃખનું કારણ જાણી, એવો આશ્રવ માર્ગ ત્યાગી, સંવર માર્ગ આદરવો. જેથી જીવ દુઃખ ન પામે. આ ધર્મધ્યાનનો બીજો ભેદ કહ્યો. ત્રીજો ભેદ વિવાગ વિજએ - વિવાગ વિજએ કહેતાં - જીવ સંસારમાં સુખ અને દુઃખ ભોગવે છે તે શા થકી ? તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે - જીવે જેને રસે કરી પૂર્વે જેવાં શુભાશુભ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ ઉપાર્જન કર્યા છે, તે શુભાશુભ કર્મના ઉદયથી, જીવ તે પ્રમાણે સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતાં થકા કોઈ ઉપર રાગ-દ્વેષ ન આણી, સમતા ભાવ રાખી, મન, વચન, કાયાના શુભ યોગ સહિત શ્રી જૈન ધર્મને વિશે પ્રવર્તીએ. જેથી નિરાબાધ પરમસુખને પામીએ. આ ધર્મધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો. ચોથો ભેદ સંઠાણ વિજએ - સંઠાણ વિજએ કહેતાં - ત્રણ લોકના આકારનો વિચાર ચિંતવવો. ત્રણ લોકના આકારનું સ્વરૂપ સુપઈઠીક(=સરાવલા)ને આકારે છે. લોક જીવઅજીવથી સંપૂર્ણ ભર્યો છે. મધ્યભાગે અસંખ્યાતા જોજનની 68 ------૩ પ્રતિક્રમણ સૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84