Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 310
________________ અને એ જ અવસરે શુભ સંદેશ લઈને દ્વારપાળ આવ્યો : “સ્વામિની, પૃથ્વીનાથ ઋષભદેવ વન-જંગલોમાં વિચરતા આપણા નગરમાં પધાર્યા છે. સ્વામિન્, એમના દેહની શી વાત કહું ! જાણે એ પૃથ્વીનાથ જ નહીં.’ દ્વારપાળ પણ વાત કરતો ગદ્ગદ થઈ ગયો. ખોંખારો ખાઈને એ આગળ બોલ્યો : “ડુંગર જેવી એમની કાયા ડોલતી ચાલે છે; સૂર્ય જેવું એમનું પ્રતાપી મોં શ્યામ પડી ગયું છે, ને અનેક શત્રુ વીંટળાઈ વળ્યા હોય એવી એમની પરવશ દશા છે. અમે મિણ-મુક્તા, કેસર-ચંદન, અશ્વહાથી, રથ ને કન્યા આપવા માંડ્યાં; અનેક જનોએ તેમને વસવા આવાસ ખાલી કરી આપ્યાં તોય એ કંઈ પણ લીધા વિના આગળ વધ્યા. અને છતાં કંઈક ગ્રહણ કરવાની આકાંક્ષા એમના મુખ પર તરવરે છે. ભારે મૂંઝવણ છે. રાજત્યાગ વખતથી ધારેલું મૌન હજુય અભંગ હોવાથી કંઈ સમજી શકાતું નથી.’' “અરે, ધન્ય છે આપણને ! ધન્ય છે આપણા ગ્રામ-નગરને ! ચાલો પ્રભુનું સ્વાગત કરીએ !’' “પૃથ્વીનાથ દ્વાર સુધી આવી પહોંચ્યા છે,' બીજા પ્રતિહારીએ ખબર આપ્યા. “અરે, ખૂબ વિલંબ થયો. ચાલો, ચાલો, ત્વરા કરો !”’ કુમાર શ્રેયાંસ અડવાણે પગે ને ઉઘાડા મસ્તકે દોડ્યો. રાજા સોમયશ અને બીજાઓએ તેનું અનુસરણ કર્યું. પ્રભુ દ્વાર પર આવીને ખડા હતા. કુમાર શ્રેયાંસ ઊલટભર્યો પગમાં પડ્યો. પોતાનાં સુદીર્ઘ કેશથી પ્રભુની ચરણરજ લૂછીને એણે ફરી ફરી પ્રણિપાત કર્યો. રાજા સોમયશ અને બીજાઓએ તેનું અનુકરણ કર્યું. શ્રેયાંસકુમાર બોલી ઊઠ્યો : “અરે, પ્રભુ તો ક્ષુધાથી ક્ષામકુક્ષી છે. જેણે બધું તજ્યું એને મણિમુક્તાનું શું કામ ? અરે, પણે તાજા ઇક્ષુરસના ઘડા તૈયાર છે. લાવો, પ્રભુની ક્ષુધા ને તૃષા બંને એનાથી શાન્ત થશે. પછી બીજી વાત.’’ સેવકો ઘડા લેવા દોડ્યા, પણ શ્રેયાંસને જરાય વિલંબ પોસાતો નહોતો. દોડીને એ જાતે ઘડા લઈ આવ્યો, અને ભક્તિભાવપૂર્વક પ્રભુ સામે ધર્યા. પ્રભુએ એ લેવા હાથ લંબાવ્યા. ધન્ય, ધન્ય શ્રેયાંસ તને ! સદા સીધા રહેતા હસ્ત આજ તારી તરફ મેં તો ડોલતો ડુંગર દીઠો જો * ૨૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330