Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 319
________________ ૩૪ રિજી મારો વૃષભ ફરીને આપણે અયોધ્યામાં આવી પહોંચીએ. આજે એ ઋષભદેવની સાદી-સીધી નગરી નહોતી, પણ રાજા ભરતદેવની પ્રતાપી પાટનગરી હતી. અશ્વશાળાઓ, આયુધશાળાઓ, ગજશાળાઓ ને રથશાળાઓથી એ સદા વ્યાકુલ રહેતી. અહીં સરખેસરખા જુવાનો સદા શસ્ત્રવિદ્યાના શિક્ષણમાં મશગૂલ રહેતા. સેનાપતિ સુષેણની વિરહાકથી દિશાઓ કંપાયમાન થતી. ભરતદેવના ન્યાયાસન પાસે સજ્જનોનું સંરક્ષણ થતું ને આતતાયીઓ ને અન્યાયીઓને આકરી શિક્ષા મળતી. દેશદેશની સમૃદ્ધિ અહીં એકત્ર થઈ હતી. રત્નાકરનાં મોતી ને પહાડોના હિરા અહીં મળતા. નગરી ભિન્ન ભિન્ન વ્યવસાયોથી દિવસ ને રાત ધમધમતી રહેતી. રાજા ભરતદેવ આખો દિવસ આયુધશાળામાં નિમગ્ન રહેતા. સાધનાની છેલ્લી પળોનો અવિરત ઉત્સાહ એમને ડોલાવતો હતો. બસ, સાધ્યની પ્રાપ્તિ ને પિતાના શાસનનો પ્રચાર એ જ એક મહેચ્છા એમને હતી. પિતાના રાજત્યાગ પછી ટૂંક સમયમાં જ, દોરો નીકળી જતાં આખો હાર વેરવિખેર થઈ જાય તેમ, બધા રાજાઓ સ્વતંત્ર થઈ બેઠા હતા. બીજાની તો શી વાત, ભરતદેવના સગા ૯૮ ભાઈઓ પણ સ્વતંત્ર રાજ જમાવી બેસી ગયા હતા; પૃથ્વીનાથ ઋષભદેવ સિવાય તેઓ કોઈની આજ્ઞા માનવા તૈયાર નહોતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330