Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 318
________________ રીતે એ રાજા થયા, પ્રજાના કેવી રીતે પિતા થયા, કેવી રીતે યુગલિકધર્મ નિવાર્યો, ને અંતે શા કાજે રાજપાટ તજી અનગાર બન્યા – એ સર્વ રસભરી કથા કહી અમારાં હૈયાંને અજવાળો.” રાજા બાહુબલીએ ધીર ચિત્તે એ કથા કહેવા માંડી. એ કથા જેમ જેમ આગળ વધી તેમ તેમ કહેનાર અને સાંભળનાર બંનેનાં હૃદયમાંની ઉદાસીનતા ધોવાઈ ગઈ ને ઉલ્લાસ આવતો ગયો. નિરાશ થયેલી પ્રજા ફરી આનંદનો અનુભવ કરી રહી. ભગવાન ઋષભદેવ જાણે સહુનાં અંતરમાં આવીને વસી ગયા ! અંતર વસિયા મહારાજ ર૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330