Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 325
________________ ૩૫ પ્રભુ, તુજ શાસન અતિ ભલ વટવૃક્ષની ઘેરી છાંયમાં મહાન કેવળજ્ઞાનની દિવ્ય જ્યોતિથી ઝળહળતા પ્રભુ બેઠા છે. ક્ષણ પૂર્વના જયજયનાદ, હર્ષધ્વનિ, દુંદુભિ-ઘોષ શમી ગયા છે. દૂર દૂર સુધી પથરાયેલો માનવસમૂહ ચિત્રની જેમ સ્તબ્ધ છે. રાજા ભરતદેવે પણ ઉત્તર દિશાના માર્ગે આવી, પ્રણિપાત કરી, સ્તુતિ કરી, પોતાનું સ્થાન લીધું છે. આકાશનો આસમાની ચંદરવો નાના એવા મેઘખંડોથી સુશોભિત છે. વાયુ વીંઝણા ઢોળે છે, ને દિશાઓ ભૂમિને અજવાળે છે. વિશ્વવત્સલ પ્રભુ આજ દીર્ઘ કાળની સાધનાનો સારાંશ ઉચ્ચારવાના છે. તેમણે શિલાની જેવા કઠોર ને મરુભૂમિ જેવા નીરસ જીવનને તપની ને સહિષ્ણુતાની જ્યોતિથી અજવાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. નવા શાસનના આદેશ આજે તેઓ આપવાના છે. અષાઢના આકાશમાં વાદળ મીઠું મીઠું ગર્જ એમ પ્રભુ બોલ્યા : “હે મહાનુભાવો, જે શાસન મેં તમને પહેલાં આપ્યું હતું, એનાથી અલૌકિક શાસન આજે આપું છું. કીડીથી કુંજર, પહાડથી વૃક્ષ, પ્રાકૃત જન અને પરાક્રમી પુરુષો સહુમાં એકસરખો જીવાત્મા વસેલો છે. દેહમાં છુપાયેલો એ દેવ અજર-અમર છે. તમારા દેહનો નાશ છે, એનો નાશ નથી. એ જીવાત્માને પિછાણો ! સંસારના જીવોને જીવન વહાલું છે. માટે તમે જીવન જીવો ને બીજાને જીવવા દો ! તમારું પ્રિય તે તેમનું પ્રિય બનાવો. કઠોર વાણી તમને હૈયાઝાળ ૩૦૬ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330