Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 191
________________ શકાય તેટલાં મેદ-મજ્જા સુકાઈ જશે, કમરનું અસ્થિતંત્ર રુદ્રાક્ષની માળાની જેમ બની જશે, સાપની જેમ બેઉ ભુજાઓ લટકતી હશે. સિર કંપતું હશે, વન કરમાઈ ગયું હશે, આંખો અંદર ઊતરી ગઈ હશે, મહામુશ્કેલીએ ચાલી શકાતું હશે, છતાં સાચો નિગ્રંથ આત્માનો ઉપાસક રહેશે. એ આત્માનો પૂજારી છે. દેહ તો સાધન છે. સાધ્ય પ્રાપ્તિ ખાતર સાધન ડૂલ કરતાં એ નહિ ડરે. આ નિગ્રંથના તરણોપાય માત્ર વિદ્યા ને ચારિત્ર્ય હશે. આવો નિગ્રંથ અહિંસા, સંયમ અને તપનો પૂજારી હશે. અહિંસા માટે સમતા જરૂરી છે. સમત્વ વિના અહિંસા જન્મતી નથી. એટલે એ કોઈ જીવને ઊંચ-નીચ, નાનો-મોટો નહિ લેખે. પોતાના જેવો બીજાને સમજશે. એના અંતરમાં એક જ રટણા હશે : ‘સવી જીવ કરું શાસનરસી.’ સંયમ માટે એ પોતાની જાતનો ચોકીદાર બનશે, મનને કાબૂમાં રાખશે, ઇંદ્રિયોનો દાસ નહિ બને. તપ માટે એ હંમેશાં દેહદમનનો પ્રયત્ન કરશે. આવશ્યક ચિત્તશુદ્ધિ ને આત્મબળ માટે શરીર, ઇંદ્રિય, મનને કબજામાં રાખવા માટે એ તપનો આશ્રય લેશે. . સાધુની પાસે સદા એક કલ્પના રહેશે : લડાઈમાં મોખરે ચાલતો હાથી, કેટકેટલાં વિઘ્નો સહે છે, કેટકેટલા ઘા વેઠે છે ! છતાં એ આગળ જ ચાલ્યો જાય છે. એમ સાધુ આગળ વધશે. જેમ એ હસ્તી બંધ, છેદ કે વર્ધનની દરકાર કરતો નથી: એનું ચિત્ત લક્ષને વેધવામાં હોય છે, એમ સાધુ પણ કશી દરકાર નહિ કરતાં, જીવનની સાધનામાં આગળ ને આગળ વધશે. આવા નિગ્રંથ ભિક્ષુને કેટલાંય અંધારામાં અજવાળાં ક૨વાનાં હોય છે. દ્વારે દ્વારે અહિંસા, અવેર ને અનેકાંતની ટહેલ નાખવાની હોય છે. મૈત્રી, પ્રમોદ, કરુણા ને મધ્યસ્થતા આ ચાર ભાવનાનાં જગતમાં ખાતર પૂરવાનાં હોય છે. વિશ્વપ્રેમનો – જીવમાત્ર પ્રતિ સમત્વનો – સંદેશ આપવાનો હોય છે. Jain Education International - ૧૭૪ ભગવાન મહાવીર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258