Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 228
________________ પ૦ બેડો પાર સિહ નામના અનગાર મેંઢિય ગામ બહાર સાલાકીષ્ટક ચૈત્યમાં તપ કરી રહ્યા હતા. એમની પાસે થોડા વખતથી ઊડતા સમાચાર આવતા હતા : રે! ગોશાલકે ભાખ્યું હતું કે ભગવાન છ માસ જીવશે અને છ મહિનાથી એ પ્રેમમૂર્તિને પિત્તદોષ થયો છે. લોહીના ઝાડા થાય છે. શરીર સુકાઈને કાંટો થઈ ગયું છે. અરેરે ! ભગવાનને કંઈ થયું, તો લોકો શું કહેશે? પ્રેમજ્યોતિ બુઝાઈ જતાં, કેટકેટલા જીવ ભવાટવિમાં અથડાઈ પડશે.” આમ આ મહાતપસ્વી સાધુ તપ કરવા છતાં, મનમાં વ્યાકુળ રહેતા હતા. શાંતિ એમને લાધતી નહોતી. એવામાં સમાચાર આવ્યા કે ભગવાન ત્યાં આવ્યા છે. સિંહ અનગાર ભગવાનને મળવા ને દર્શન કરવા ચાલ્યા, પણ દૂરથી જ પ્રભુની દેહમૂર્તિ જોતાં પોક મૂકીને એ રડી પડ્યા. ભગવાને એમને પાસે બોલાવ્યા ને કહ્યું : “અનગાર ! તારી વ્યથા હું ઘણા વખતથી જાણું છું. તને મારા દેહ પર મોહ છે. ભલા, દેહની માયા અનગારને કેવી ? છતાં, સિંહ, ચિંતા ન કરીશ. હજી સાડા પંદર વર્ષ મારે આ ભૂમંડલ પર રહેવાનું છે. કર્મ ખપાવ્યા વગર મા પણ છૂટકો ક્યાં છે ?' અનગાર સિંહ બોલ્યા : “ભગવનું, આપ જે કહો તે સત્ય જ હોય, એ વિશે હું નિઃશંક છું, પણ આપનું શરીર દિન-પ્રતિદિન ગળતું જાય છે. આવો બેડો પાર ૨૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258