Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 247
________________ પs દીવે દીવો પેટાય નિર્વાણની રાતનું પ્રભાત હજી ખીલ્યું નહોતું, ત્યાં સમાચાર આવ્યા કે ધર્મબોધ આપીને બીજે ગામથી પાછા વળતાં ગુરુ ગૌતમને પ્રભુના નિર્વાણની જાણ થઈ ગઈ છે. એમનું રુદન વજ-હૈયાંને પણ ભેદે તેવું છે. એમના રુદનના શોકભારથી પૃથ્વી પણ ભીંજાઈ ગઈ છે, ને લતાઓ પરથી ફૂલ કરમાઈ કરમાઈને પૃથ્વી પર ઝરી રહ્યાં છે, ને કમળવેલ મૂરઝાઈ રહી છે. આખું વાતાવરણ શોકાકુલ છે. એ મહાજ્ઞાની બાળકની જેમ વ્યાકુળ બની ગયા છે; યુવાન વિધવાની જેમ કલ્પાંત કરી રહ્યા છે, પોતાને સાત ખોટનો દીકરો ફાટી પડે ને વૃદ્ધ બાપ જેવો વિલાપ કરે એવો વિલાપ કરી રહ્યા છે ! અમારાથી એ જોઈ ન શકાયું, એટલે અમે ત્યાંથી ચાલ્યા આવ્યા. ગુરુ ગૌતમ આકાશ સામે ગર્જના કરી પડઘા પાડે છે : “પ્રભુ! એવાં તે કયાં મારાં મહાપાપ હતાં કે જીવનભર સાથે રાખીને અંતકાળે અળગો કર્યો ? શું તમારાં વચન મિથ્યાં હતાં ? અરે, મિથ્યાં કેમ કરીને માની શકું ? પછી આમ કેમ ? આ તો જ્ઞાનીનું રુદન. આવા કરુણ સ્વરભાર તો સંસારમાં કોઈના જોયા નથી. માનવીનાં ધબકતાં હૈયાં થંભી જાય એવાં એ શોકસ્વર ! સંસારનો કોઈ બાપ, કોઈ મા, કોઈ પતિવ્રતા, કોઇ પુત્ર, કોઈ બહેન આવું કદી રડી નહિ હોય ! યોગીનાં આવાં અમૂલખ આંસુ સંસારે જન્મ ધારી કદી જોયાં નહીં હોય ! ૨૩૦ ૪ ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258