Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 241
________________ પપ નિવગ ભગવાને એકતાલીસમું ચોમાસું રાજગૃહમાં કર્યું. એ વખતે ઇન્દ્રભૂતિ ગૌતમે કાલચક્રને માનવજીવન વિશે અનેક પ્રશ્નો પૂછવા. રાજગૃહમાં તેઓ ચાતુર્માસ કરવા પાવાનગરીએ આવ્યા. અહીંના રાજા હસ્તિપાલના તલાટીની કચેરીમાં તેઓ ઊતર્યા. ત્રણ મહિના પૂરા વીતી ગયા, ને ચોથો પણ અડધો પૂરો થવા આવ્યો. એ વખતે ભગવાને પોતાના નજીકમાં આવી પહોંચેલા નિર્વાણસમયની સૌને માહિતી આપી. આ ખબરથી પાવાપુરીના પ્રત્યેક ઘરને ઉબરે ઉંબરે શોકની છાયા પથરાઈ ગઈ. આકાશનું નિર્મળ હૈયું પણ તારકવૃંદથી વીંધાઈ ગયું; ને તળાવના જળમાં કમળ પણ ગંભીર બની ગયાં. રે ! આખરે જુદાઈ ! જ્ઞાનીઓ કહેવા લાગ્યા : “આનંદો, પ્રભુ આજે મુક્તિને વરશે ! દેહની દીવાલ વચ્ચેથી દૂર થશે.” પ્રજાજનો નિશ્વાસ નાખતા હતા : ‘હાય રે, પ્રભુની આ અલૌકિક દેહછબી હવે ફરી ક્યાં ને ક્યારે નીરખવા મળશે ? જુગ જુગ પછી સાંપડેલી આ અમૃતવાણી ફરીથી ક્યાં સાંભળવા મળવાની હતી ? અરે ! જ્ઞાનીઓના વચનથી શોક અને આનંદને સમાન લેખવાની અમે મહેનત કરીએ છીએ, ૨૨૪ % ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258