Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 233
________________ પર ચાર યામ ને પાંચ યામ એક વખત મહાજ્ઞાની. ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના શિષ્યપરિવાર સાથે શ્રાવસ્તી નગરીમાં કૌષ્ઠક ચૈત્યમાં આવી ઊતર્યા. ભગવાન થોડા પાછળ હતા. એ જ વખતે શ્રાવસ્તી નગરીના હિંદુક ઉદ્યાનમાં કેશીકુમાર શ્રમણ પર પોતાના સમુદાય સાથે ઊતર્યા હતા. તેઓ ભગવાન પાર્શ્વનાથના સંપ્રદાયના હતા. શ્રી ગૌતમ સાથેના વિરો ને કેશીકુમારની સાથેના શ્રમણોનો અવારનવા૨ મેળમિલાપ થતો. બધા અરસપરસ વિચારતા કે એક વૃક્ષની બે ડાળ જેવો, એક નદીની બે શાખા જેવો પ્રભુ પાર્શ્વનો ને મહાવીરનો ધર્મ કહેવાય છે. એમાં આ ભેદાભેદ કેમ ? પાર્શ્વનાથનો ધર્મ ચાર યામવાળો ને મહાવીરનો ધર્મ પાંચ યામવાળો. પાર્શ્વનાથના સાધુઓ વસ્ત્રવાળા, ને મહાવીરના સાધુઓ વસ્ત્ર વિનાના ! જો એક જ મુક્તિ માર્ગના બંને ઉપાસક હોય તો આટલો મતભેદ કાં ? સાધુઓના મનની આ શંકાની શ્રી ગૌતમને ખબર પડી. શ્રી કેશી ગણધરને પણ ભાળ મળી. બંને જણાએ અરસપરસ મળી, ચર્ચા કરી સમાધાન મેળવવાનું નક્કી કર્યું. શ્રી ગૌતમ વિવેકી હતા. ગમે તેમ તોય શ્રી કેશી વૃદ્ધકાલના પુરુષ હતા. તેમની પાસે પોતે જવું જોઈએ. આમ વિચારી શ્રી ગૌતમ પોતાના સમુદાય સાથે ત્યાં પહોંચી ગયા. કેશી ગણધરે કહ્યું : ‘હે મહાજ્ઞાની ગૌતમ ! ભગવાન પાર્શ્વ ચાર યામનો ઉપદેશ આપ્યો. ભગવાન મહાવીર પાંચ યામનો ઉપદેશ આપે છે. સમાન મુક્તિધર્મના સાધકોમાં આટલાં ભેદ કાં ?’ Jain Education International ૨૧૬ ૨ ભગવાન મહાવીર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258