Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 212
________________ વાત સ્વીકારી, ને એ પાછો વળી ગયો. રાણીએ કૌશાંબીનો કોટ સમરાવી મજબૂત કરી દીધો. આ તરફ ઉજ્જૈનીમાં મૃગાવતીના નોતરાની રાહ જોઈને બેઠેલો પ્રદ્યોત આખરે થાક્યો. કાગળ પર કાગળ લખ્યા, પણ જવાબ કોઈ લખે તો ને ! આખરે ભયંકર કોપ ભરીને સેના સાથે એ ચઢી આવ્યો. કાલે યુદ્ધ મંડાશે ! જુવાનો બધા કપાઈ મરશે. નગર ખંડેર થશે. મૃગાવતી સતી થશે. દેશ સ્મશાન બની જશે. એક એક પળ ઉદ્વેગભરી વીતતી હતી. ત્યાં એકાએક ભગવાન મહાવીર આવ્યાના સમાચાર પ્રસરી ગયા. શાંતિના જાણે સમીર લહેરાવા લાગ્યા. મૃગાવતીએ વિચાર્યું કે યુદ્ધ કોઈથી અટકે તો માત્ર કરુણાસાગર મહાવીરથી. એણે નગરના દરવાજા દિવસોથી બંધ કરાવ્યા હતા, એ તરત બોલાવી નાખ્યા, ને ભગવાનનાં દર્શને ચાલી. ભગવાન ધર્મસભામાં બેસી ઉપદેશ આપતા હતા. આ સભામાં રાજા ચંડપ્રદ્યોત પણ હાજર હતો. ભગવાને પરિસ્થિતિને લક્ષમાં લઈ સુંદર ઉપદેશ આપ્યો, હૃદયભેદક દૃષ્ટાંતો કહ્યાં. બાહ્ય યુદ્ધ કરે કંઈ નહિ વળે, અંદરનાની સાથે યુદ્ધ ચઢો, તો કંઈ આત્મકલ્યાણની આશા છે. નહિ તો તમે ડૂબશો ને બીજાને ડુબાડશો. આમ માનવજીવન સફળ કરવાનો સંદેશ આપ્યો. રાણી મૃગાવતી ધર્મસભામાં ઊભી થઈને બોલી. હું દીક્ષિત થવા ચાહું છું. રાજા ચંડપ્રદ્યોત મને પરવાનગી આપે.” ચંડપ્રદ્યોતના દિલ પર ઉપદેશનો પ્રભાવ પડ્યો હતો. એણે રાણીને દીક્ષા લેવાની રાજીખુશીથી રજા આપી. રાણીએ વધારામાં કહ્યું : “જો તમે મને રાજીખુશીથી રજા આપતા હો, તો મારા પુત્રને તમારો ગણો. એને રાજકાજના પાઠ શીખવો. એના શિરછત્ર બનો.' ચંડપ્રદ્યોતે એ કબૂલ કર્યું. રાણી મૃગાવતીએ સભામાં જ દીક્ષા લીધી. એ દિવસે પ્રભુની દેશનાથી યુદ્ધની ખૂનરેજી ટળી. કૌશાંબીમાં કુશળતાના વાયરા વાયા. યુદ્ધ અટક્યું % ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258