Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 205
________________ સાદી શૈલીમાં સુંદર ને માર્મિક જવાબ આપ્યા. જયન્તી : જીવ ભારે કેમ થાય છે ? ભગવાન : હિંસા, જૂઠ, ચોરી, અનાચાર ને સંઘરાની વૃત્તિ વગેરે ૧૮ પાપસ્થાનકોના સેવનથી જીવ ભારે થાય છે, દુઃખી થાય છે. એનાથી સંસાર વધે છે, લાંબો થાય છે, ને ભ્રમણ વધે છે. ચાર ગતિના ચક્કરમાં જીવ ફરે છે. જયન્તી : ભગવાન ઊંઘવું સારું કે જાગવું સારું ? ભગવાન : કેટલાક જીવોનું ઊંઘવું સારું છે, કેટલાકનું જાગવું સારું છે. જયન્તી : ઊંઘવું કે જાગવું-બેમાંથી એક વાત સારી હોઈ શકે. બે વિરોધી વાતો એકસાથે કેવી રીતે સારી હોઈ શકે, પ્રભુ ? ભગવાન : અધર્મ માર્ગના પ્રવાસી, અધર્માચરણ કરનાર ને અધર્મથી જીવનનિર્વાહ કરનારા જીવો ઊંઘે છે, ત્યાં સુધી એ હિંસાથી બચે છે, ને બીજા જીવો ત્રાસથી બચે છે. એનું ઊંઘવું એના માટે ને અન્ય માટે સારું છે. જયન્તી : સાચું કહ્યું, ભગવાન ! હવે જાગવું કોનું સારું છે ? ભગવાન : જે જીવો કરુણાપરાયણ છે, સત્યવાદી છે, અણહકનું લેતા નથી, સુશીલ છે, અસંગ્રહી છે, તેવા લોકો જાગે તેમાં તેની જાતનું ને જગતનું કલ્યાણ છે. જયન્તી : જીવો સબળ સારા કે નિર્બળ સારા ? ભગવાન : ધર્મી જીવો સબળ સારા. તેઓ એ પુરુષાર્થ દ્વારા પોતાનું ને પારકાનું કલ્યાણ કરે છે. અધર્મી જીવો નિર્બળ સારા. પોતાની નિર્બળતાથી એ પારકાને પીડા પહોંચાડી શકતા નથી. અને પોતાની જાતનું પણ ઘણું અકલ્યાણ કરી શકતા નથી. જયન્તી : જીવ ઉદ્યમી સારો કે આળસુ સારો. ભગવાન : એનો જવાબ પણ ઉપર મુજબ છે. આ સિવાય રાજકુમારી જયન્તીએ બીજા પણ કેટલાક પ્રશ્નો પૂછ્યા. ભગવાને સાદી રીતે લોકભાષામાં જવાબ આપ્યા. આ પરથી એ વખતની સ્ત્રીઓ કેટલી ભણેલી-ગણેલી ને જ્ઞાની રહેતી એ જણાઈ આવે છે. આ છે. ૧૮૮ % ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258