Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ બાર પ્રકારની હિંસાઓ મરઘીને પણ નફાની દૃષ્ટિવાળો સાયન્ટિફિક પૉસ્ટ્રી ઉદ્યોગવાળો ૧૮ થી ૨૪ મહિનામાં નકામી ગણે છે. વધુ ને વધુ ઈંડાં આપે તે માટે મરઘીને વિદેશથી આયાત કરેલી દવાઓ વગેરે આપવામાં આવે છે, તેથી મરઘીના આંતરશરીરની વ્યવસ્થા કથળી જાય છે. બે વર્ષમાં તે બિચારી બુઢી થઈ જાય છે અને એટલે તેની કતલ થઈ જાય છે. હજી તો આ ક્રૂરતાની વાત બાકી છે. ઘણા ગુજરાતીઓ ચિકન' “ચિકન' બોલે ત્યાં તેમના મોઢામાં પાણી આવે છે. આવા ચિકનનો જબરો ઉદ્યોગ છે. નર મરઘામાંથી સારા ચિકન બને છે, તેને “બ્રોઈલર' કહે છે. આ બ્રોઈલરનાં ફાર્મ પણ ફેક્ટરી ઢબેથી ક્રૂર આર્થિક નિયમો પ્રમાણે ચાલે છે. વિરોધાભાસ જોઈ લો કે એક તબક્કે નર-મરઘાને મારી નાખવા પડે છે. ઈંડાં આપતી મરઘીને પળાય છે જ્યારે બ્રોઈલર માટે નર-મરઘા જ કામના હોય છે એટલે નારી-મરઘીને તો ગેસ આપીને મારી નખાય છે અને તેને બાળીને તેનો ખોરાક બનાવાય છે. આ બ્રોઈલરની ફેક્ટરીના એક વિભાગમાં ખાસ્સા ૯૦,૦૦૦ મરઘા રખાય છે. આ ફેક્ટરીમાં કામદારો દિવસમાં એક વખત આ શેડમાં આવે છે. મરી ગયેલા મરઘાને ઉપાડી લે છે. બ્રોઈલર મરઘો આઠ સપ્તાહનો થાય ત્યારે તે ફાર્મ મોટી કંપનીનું હોય તો તેને મશીનથી કપાય છે, નહીંતર હાથેથી કાપી નખાય છે. દરેક મરઘી, પછી તે ઈંડાં માટે પળાતી હોય કે માંસાહાર માટે, તે બિચારી સતત રસાયણોના ડોઝ લેતી હોય છે. ભારતના પૉસ્ટ્રી ફાર્મરો લગભગ ૧,૦૦૦ જેટલી વિદેશી અને દેશી દવા વાપરે છે. મોટે ભાગે મલ્ટિનેશનલ કંપનીઓ આ દવા આપે છે. ઈંડાં વધુ પેદા કરવાની દવા અને મરઘીને થતા રોગો સામે રક્ષણ માટેની આ દવા છે. દયાળુ જેનો તાણીતોડીને ફંડ એકઠું કરીને ઈંડાની વિરુદ્ધમાં પ્રચાર કરતી મોંઘી જાહેરખબરો આપે છે, તેને ખબર નથી કે જો તેમની વાત માનીને લોકો ઈંડાં ખાતા બંધ થઈ જાય તો મલ્ટિનેશનલ કંપનીઓ કરોડો રૂપિયાના દવાના વેપારથી હાથ ધોઈ નાખે. એટલું જ નહીં, મલ્ટિનેશનલ કંપનીઓ જે ભાવે જેવી દવા આપે તે પૉસ્ટ્રી ફાર્મરે ખરીદવી જ પડે છે. આમ ઈંડાંના પ્રચાર પાછળ એક મોટા નફાખોરીના ઉદ્યોગનું પડ્યુંત્ર રચાયેલું હોય છે. તમને એ વાતની જાણ નથી કે ઈંડાને ફોડીને તમે રૂડારૂપાલા પીળા રંગનો અંદરનો ભાગ જુઓ છો તેને વધુ રૂપાળો અને રંગદાર બનાવવા સિટ્રાનાફસાનથિન નામનું હાનિકારક રસાયણ મરઘીને અપાય છે. જે મરઘી મુક્તપણે ખેતરમાં ફરતી હોય તે કુદરતી ખાદ્ય ખાતી હોય છે. લીલા ઘાસના ચારાને કારણે તેનાં ઈંડાંનો

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192