________________
બાર પ્રકારની હિંસાઓ
મરઘીને પણ નફાની દૃષ્ટિવાળો સાયન્ટિફિક પૉસ્ટ્રી ઉદ્યોગવાળો ૧૮ થી ૨૪ મહિનામાં નકામી ગણે છે. વધુ ને વધુ ઈંડાં આપે તે માટે મરઘીને વિદેશથી આયાત કરેલી દવાઓ વગેરે આપવામાં આવે છે, તેથી મરઘીના આંતરશરીરની વ્યવસ્થા કથળી જાય છે. બે વર્ષમાં તે બિચારી બુઢી થઈ જાય છે અને એટલે તેની કતલ થઈ જાય છે.
હજી તો આ ક્રૂરતાની વાત બાકી છે. ઘણા ગુજરાતીઓ ચિકન' “ચિકન' બોલે ત્યાં તેમના મોઢામાં પાણી આવે છે. આવા ચિકનનો જબરો ઉદ્યોગ છે. નર મરઘામાંથી સારા ચિકન બને છે, તેને “બ્રોઈલર' કહે છે. આ બ્રોઈલરનાં ફાર્મ પણ ફેક્ટરી ઢબેથી ક્રૂર આર્થિક નિયમો પ્રમાણે ચાલે છે. વિરોધાભાસ જોઈ લો કે એક તબક્કે નર-મરઘાને મારી નાખવા પડે છે. ઈંડાં આપતી મરઘીને પળાય છે જ્યારે બ્રોઈલર માટે નર-મરઘા જ કામના હોય છે એટલે નારી-મરઘીને તો ગેસ આપીને મારી નખાય છે અને તેને બાળીને તેનો ખોરાક બનાવાય છે. આ બ્રોઈલરની ફેક્ટરીના એક વિભાગમાં ખાસ્સા ૯૦,૦૦૦ મરઘા રખાય છે. આ ફેક્ટરીમાં કામદારો દિવસમાં એક વખત આ શેડમાં આવે છે. મરી ગયેલા મરઘાને ઉપાડી લે છે. બ્રોઈલર મરઘો આઠ સપ્તાહનો થાય ત્યારે તે ફાર્મ મોટી કંપનીનું હોય તો તેને મશીનથી કપાય છે, નહીંતર હાથેથી કાપી નખાય છે.
દરેક મરઘી, પછી તે ઈંડાં માટે પળાતી હોય કે માંસાહાર માટે, તે બિચારી સતત રસાયણોના ડોઝ લેતી હોય છે. ભારતના પૉસ્ટ્રી ફાર્મરો લગભગ ૧,૦૦૦ જેટલી વિદેશી અને દેશી દવા વાપરે છે. મોટે ભાગે મલ્ટિનેશનલ કંપનીઓ આ દવા આપે છે. ઈંડાં વધુ પેદા કરવાની દવા અને મરઘીને થતા રોગો સામે રક્ષણ માટેની આ દવા છે. દયાળુ જેનો તાણીતોડીને ફંડ એકઠું કરીને ઈંડાની વિરુદ્ધમાં પ્રચાર કરતી મોંઘી જાહેરખબરો આપે છે, તેને ખબર નથી કે જો તેમની વાત માનીને લોકો ઈંડાં ખાતા બંધ થઈ જાય તો મલ્ટિનેશનલ કંપનીઓ કરોડો રૂપિયાના દવાના વેપારથી હાથ ધોઈ નાખે. એટલું જ નહીં, મલ્ટિનેશનલ કંપનીઓ જે ભાવે જેવી દવા આપે તે પૉસ્ટ્રી ફાર્મરે ખરીદવી જ પડે છે. આમ ઈંડાંના પ્રચાર પાછળ એક મોટા નફાખોરીના ઉદ્યોગનું પડ્યુંત્ર રચાયેલું હોય છે.
તમને એ વાતની જાણ નથી કે ઈંડાને ફોડીને તમે રૂડારૂપાલા પીળા રંગનો અંદરનો ભાગ જુઓ છો તેને વધુ રૂપાળો અને રંગદાર બનાવવા સિટ્રાનાફસાનથિન નામનું હાનિકારક રસાયણ મરઘીને અપાય છે. જે મરઘી મુક્તપણે ખેતરમાં ફરતી હોય તે કુદરતી ખાદ્ય ખાતી હોય છે. લીલા ઘાસના ચારાને કારણે તેનાં ઈંડાંનો