________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદવી કદી આચાર્યશ્રીને પજવી શકી નહિ. નાના હોય કે મોટા, ગરીબ હોય કે અમીર, દુ:ખી હોય કે સુખી સહુના તરફ જીવનભર એમનું અપાર વાત્સલ્ય વહેતું રહ્યું. એમની પાસે ઉચ્ચ સાધુતા હતી, પણ શુષ્કતા નહોતી, સંયમની અનેરી આરાધના હતી, પણ સંસારીઓ માટે લેશ પણ તિરસ્કાર નહોતો. એમના મનમાં સતત એક જ ભાવના રહેતી કે સાધુ હોય કે શ્રાવક હોય, કઈ રીતે એના જીવનને ધર્મબોધ પમાડી શકાય? જીવનની સાધના કૈલાસ જેટલી ઊંચી હતી પણ તેથી કંઈ અસ્પૃશ્ય નહોતી. શ્રીસંધની વચ્ચે રહીને અને સમુદાય સાથે જીવીને એમણે પોતાના હૃદયની અગાધ કરુણાનો પરિચય આપ્યો હતો.
૬ ૫
For Private And Personal Use Only