________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ણ ભારે જયણા રાખતા. સ્થડિલથી આવ્યા પછી માત્ર સહેજ પાણી નાખીને પગના તળિયા ઘસી લેતા. આખો પગ કે મોઢું ધોવાની તો સાવ વાત જ નહિ. માત્ર આંખો ખૂબ ધાકી ગઇ હોય તો હથેળીમાં થોડું પાણી લઇને આંખોને અડાડો આવું કઠોર અને સંયમપૂર્ણ જીવન હોવા છતા બોતેર વર્ષની અવસ્થા સુધી એમના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય એવો અનુભવ કોઇને ન થયો. નવકારનું મહાત્મ્ય દર્શાવતાં તેઓ મહાનિશથ સૂત્રનું ઉધ્ધરણ આપતાં. ‘શ્રી મહાનિશીથ સૂત્ર' એ આપણું એક પ્રાચીન આગમ છે. તેમાં કહ્યું છ--- 'नमो अरिहंताणं सत्तपक्खररिमाणं अणं तगमपज्जवत्थ, पसाहगं सव्वमहामतपवरविज्गाण परमबीअमूअं.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમો અરિહંતાણં એ સાત અક્ષરના પરિમાણવાળું, અનંત ગમ, પર્યવ અને અર્થને પ્રકર્ષથી સાધનારું તથા સર્વ મહામંત્રો અને પ્રવર વિદ્યાઓનું પરમ બીજભૂત છે.
પોતાના વિહાર અંગે કોઇને અગાઉથી સમાચાર આપે નહીં. જીવનમાં કદી પોતાના વિહારનો કાર્યક્રમ બનાવ્યો નહીં. જે ગામમાં જવાનું હોય ત્યાં અણધાર્યાજ પહોંચી જાય. પોતે વિહાર કરીને આ સમયે આવશે એવી ભાગ્યે ૪ કોઇને જાણ હોય. પોતાનું સામૈયું કે ભવ્ય સ્વાગત થાય તેની કોઇ ખેવના નહિ. સાધુત્વને સહેજે આંચ ન આવે એની સતત તકેદારી રાખે. તેઓ મોટેભાગે પેન્સિલ જ વાપરતા. બોલપેનનો વ્યાપક પ્રચાર થવાથી પાછળના સમયમાં તેઓ બોલપેન વાપરતા હતા.
જેમણે જીવનમાં તડકો અને છાયડો એક સરખો માન્યો હોય, જેઓ એ સુખ કે દુ:ખમાં સદાય તટસ્થભાવ સેવ્યો હોય-એમને ઉનાળાનો બળબળતો તાપ કે શિયાળાની કડકડતી ઠંડી કશી અસર કરી શકે ખરા? આચાર્યશ્રી કયારેય વાતાવરણથી વિક્ષુબ્ધ થતાં નહિ. એમણે કદીયે એવું કહ્યું નથી કે, ‘આજે બહુ ગરમી છે.,' અથવા તો ‘આજે ઠંડી છે.’ એવી જ રીતે ‘આજે પવન નથી તો બારી પાસે જાઉં છું’ એમ પણ તેઓ કદી બોલ્યા નથી. ઘણો શ્રમ લીધો હોય કે તબિયત બીમાર કે નરમ હોય તોપણ એની કદી કોઇને ફરિયાદ ન કરે. કોઇ શાતા પૂછે તો માત્ર એટલું જ કહે કે સારું છે. સાચા સંયમી સાધુ એ જૈન ધર્મની સૌથી મોટી કીર્તિવંત યશપતાકા છે. જૈન સાધુનો ત્યાગ જગતભરમાં વિરલ અને દોહ્યલો મનાયો છે. એવા ત્યાગ, તપ, ચારિત્ર, 'સંયમ અને સ્વાધ્યાયને જીવનની સાથે સ્વાભાવિકતાથી વણી લેતાં આવા સાધુતાના શિખરને આપણા વંદન હજો.
✡
૭૬
For Private And Personal Use Only