Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે છે તે કેટલાંક લોકો લઈ જઈને બજારમાં વેચે છે. આનાથી એમનું સંવેદનશીલ હૃદય દ્રવી ઊઠયું અને નક્કી કર્યું કે જીવનભર ચોખા કે બદામ લેવાં નહિ. ગોચરી સમયે ક્વચિત્ કોઈ સાધુથી એમ બોલાઈ જાય કે, “આ વસ્તુ બહુ સારી બની છે.” તો એ સાધુને હળવેથી ટોકતા અને કહેતા કે સાધુને માટે આહાર શરીર ટકાવવા માટે છે એથી વિશેષ એનો કોઈ ઉપયોગ નથી. આમ આહાર અંગે એમને કોઈ આસક્તિ નહોતી. એમની સાથેના સાધુઓ પણ ખાસ તકેદારી રાખતા કે અમુક વસ્તુ સારી છે કે ખરાબ એવું બોલાઈ જાય નહિ. જો આવું બોલાઈ જાય તો અચૂક એમનો ઠપકો મળે જ. તેઓ કહેતા કે તીર્થંકર પરમાત્માએ આ અંગે ‘ઉત્તરાધ્યયન સૂત્ર” માં એમ કહ્યું છે કે જિનશાસનના સાધુએ ખાતાં ખાતાં તેણે “આ સારું રંધાયું છે, “આ ઠીક સ્વાદવાળું છે' કે “આ ઠીક રસવાળું છે' એવું ન બોલવું. અનાસક્ત ભાવે મોક્ષના સાધનભૂત દેહને ટકાવવા માટે ભોજન અનિવાર્ય હોવાથી લેવું. સંયમજીવનના પ્રથમ ચાર દાયકાઓ સુધી તો આચાર્યશ્રી હંમેશાં એકાસણાં કરતા. એમણે કાયમને માટે ચાર વિગઈઓનો ત્યાગ કર્યો હતો. માત્ર બે વિગઈઓની છૂટ હતી. તેઓ દહીં અને દૂધ લેતા અને તેમાં પણ ડેરીનું દૂધ વજર્ય હતું. પૂ. કૈલાસસાગરજીએ દીક્ષા લીધી ત્યારે એમના ગુરુમહારાજ છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા. કૈલાસસાગરજીની ઈચ્છા આવી તપશ્ચર્યા કરવાની હતી. એકબાજુ અભ્યાસ ચાલે. વળી પિત્તપ્રકૃતિ પણ ખરી. તેથી આટલી કઠિન તપશ્ચર્યા મુશ્કેલ હતી તેમ છતાં કાયમ આયંબિલ, એકાસણું અને ઉપવાસ તો ચાલતા જ. વળી આહાર પૂરો થાય કે તરત જ ઊઠતાં પહેલાં અભિગ્રહ લઈ લેતા. બે કે ત્રણ વખત પાણી વાપરવાનું રાખતા હતા. છેલ્લે છેલ્લે સ્વાથ્ય બરાબર ન રહેતાં ઔષધો લેવા પડતાં હતાં. શિષ્યવર્ગના અત્યંત આગ્રહને વશ થઈને એમણે દુ:ખી હૃદયે એકાસણાં છોડીનેબિઆસણાં શરૂ કર્યા. આવું થયા પછી પણ તેઓ દિવસના મોટાભાગના સમયમાં અભિગ્રહ પચ્ચખાણ દ્વારા ચારે આહારનો ત્યાગ કરતા. આમ શરીરની પ્રતિકુળતાને લીધે એકાસણાં થતાં નહોતાં, તેમ છતાં એમનો તપનો આદર્શ કેવો મહાન હતો તે આના પરથી પ્રગટ થાય છે. પૂ. આચાર્યશ્રીનું જીવન એટલે જ માનવમાંથી મહામાનવ બનવાની પ્રક્રિયા. જાણે અનેક મધુભરી પાંખડીઓવાળું એ સુવર્ણકમળ ન હોય! આ કમળના જલકમલવતુ’ જીવનમાં વિનયની પરાકાષ્ઠા નજરે પડે છે તો વિદ્યા તરફનો અગાધ આદર જોવા મળે છે. પરમ શિષ્યવાત્સલ્ય વરસતું જોવા મળે છે તો સહુને ભીજવી દેતી અપાર ઉદાર ભાવનાની હેલી અનુભવાય છે. ક્યાંક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170