Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 167
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આચાર્યશ્રીની અમૃતવાણી જગતમાં જોવાના હોય તો તે તીર્થંકર પરમાત્માને. બીજું સંસારમાં જોવાનું છે શું ? Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીર અને કર્મ એનો ધર્મ બજાવે તો આત્માએ આત્માનો ધર્મ બજાવવો જોઇએ. એક દિવસ જેની રાખ અને ધૂળ થવાની છે એ દેહની શાને કાજે ચિંતા કરવી જોઈએ ? જગતની ભાષામાં નહિ, પણ જગતપતિની ભાષામાં બોલો. કદાચ જનસમુદાયની ભાષામાં તુચ્છકાર હોય તો ક્ષમ્ય ગણીને ચલાવી લેવાય, પણ સાધુની વાણીમાં કદી તુચ્છકાર ન હોય. તીર્થ તો પ્રભુની ભકિત માટે છે. આ તીર્થનું હું કશુંય વાપરું તો મારી આકિત વધે. કોઇ ઉત્તેજનામાં ગમે તેમ બોલે ત્યારે તમારા મનને કહી દો કે આ રોગ નંબર છે. આપણે ઘેર ફોન આવ્યો હોય. માણસ ગમે તેટલું બોલતો હોય, પણ તમે માત્ર આટલું જ કહો કે આ રોગ નંબર છે તો કેવો ઠંડોગાર થઈ જાય છે ! જુવાની માં ટેકો લેશો તો બુઢાપામાં સૂવું પડશે. કોઇ વ્યકિત ભૂલ કે દોષ કરે પરંતુ આપણે તો એમાંથી એના સદ્ગુણ જ જોવાના અને ગ્રહણ કરવાના હોય, દુર્ગુણ નહીં. ૧૬૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170