Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 168
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાનને સાઉન્ડપ્રૂફ કરો અને દિમાગને એરકન્ડીશન બનાવો. આ દેહનું){ મકાન તો આત્મારાભાઈએ “લીઝ પર લીધેલું છે. એ મકાનને એરકન્ડીશનમાં રાખવાને બદલે દિમાગને એરકન્ડીશનમાં રાખો. આપણે સાધુઓ તો આધ્યાત્મિક હૉસ્પિટલ ચલાવીએ છીએ. ઉપાશ્રય એ “ઈમર્જન્સી વૉર્ડ" કહેવાય. કોઈ ઘાયલ થઈને ગમે ત્યારે આવે પણ આપણું કામ તો એને સંતોષની સારવાર અને ચિત્તની સ્વસ્થતા આપવાનું છે. આ ભાવે જીભનો દુરુપયોગ કરીએ તો જીભ નહીં મળે. કાનનો દુરુપયોગ કરીએ તો કાન નહીં મળે. પરભવમાં આ બધી વસ્તુ દુર્લભ બની જશે જો તમારે ગુણની આરાધના કરવી હોય તો તીર્થંકર પરમાત્માની કરો. પ્રભુની ભકિત કરો, અમારી નહી. સાધુને માટે પ્રશંસા ઝેર સમાન છે. જ્ઞાતા-દષ્ટ ભાવ જે જેમ કેળવીએ તેમ તેમ સમભાવ આવે છે. રાગ-દ્વેષ જીતવાનો ઉપાય સાક્ષીભાવથી રહેવું એ જ છે. | ગુરુની જેટલી સેવા કરીએ તેટલી ઓછી. એમના આશીર્વાદ અને સેવાથી જ વિદ્યા ફળે. સાધુના દ્વાર સદાય ખુલ્લા જ હોય છે. સહન કરવું ક્ષમા કરવી અને સેવા કરવી એ જ છે જીવનમંત્ર. આત્મશ્રેય માટે હંમેશા જાગૃત રહો. ૧૬૭ - - - - - - - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170