________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાનને સાઉન્ડપ્રૂફ કરો અને દિમાગને એરકન્ડીશન બનાવો. આ દેહનું){ મકાન તો આત્મારાભાઈએ “લીઝ પર લીધેલું છે. એ મકાનને
એરકન્ડીશનમાં રાખવાને બદલે દિમાગને એરકન્ડીશનમાં રાખો.
આપણે સાધુઓ તો આધ્યાત્મિક હૉસ્પિટલ ચલાવીએ છીએ. ઉપાશ્રય એ “ઈમર્જન્સી વૉર્ડ" કહેવાય. કોઈ ઘાયલ થઈને ગમે ત્યારે આવે પણ આપણું કામ તો એને સંતોષની સારવાર અને ચિત્તની સ્વસ્થતા આપવાનું
છે.
આ ભાવે જીભનો દુરુપયોગ કરીએ તો જીભ નહીં મળે. કાનનો દુરુપયોગ કરીએ તો કાન નહીં મળે. પરભવમાં આ બધી વસ્તુ દુર્લભ બની જશે
જો તમારે ગુણની આરાધના કરવી હોય તો તીર્થંકર પરમાત્માની કરો. પ્રભુની ભકિત કરો, અમારી નહી. સાધુને માટે પ્રશંસા ઝેર સમાન છે.
જ્ઞાતા-દષ્ટ ભાવ જે જેમ કેળવીએ તેમ તેમ સમભાવ આવે છે. રાગ-દ્વેષ
જીતવાનો ઉપાય સાક્ષીભાવથી રહેવું એ જ છે.
| ગુરુની જેટલી સેવા કરીએ તેટલી ઓછી. એમના આશીર્વાદ અને સેવાથી
જ વિદ્યા ફળે.
સાધુના દ્વાર સદાય ખુલ્લા જ હોય છે.
સહન કરવું ક્ષમા કરવી અને સેવા કરવી એ જ છે જીવનમંત્ર.
આત્મશ્રેય માટે હંમેશા જાગૃત રહો.
૧૬૭
-
-
-
- - -
-
For Private And Personal Use Only