________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આચાર્યશ્રીની અમૃતવાણી
જગતમાં જોવાના હોય તો તે તીર્થંકર પરમાત્માને. બીજું સંસારમાં જોવાનું છે શું ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીર અને કર્મ એનો ધર્મ બજાવે તો આત્માએ આત્માનો ધર્મ બજાવવો જોઇએ. એક દિવસ જેની રાખ અને ધૂળ થવાની છે એ દેહની શાને કાજે ચિંતા કરવી જોઈએ ?
જગતની ભાષામાં નહિ, પણ જગતપતિની ભાષામાં બોલો. કદાચ જનસમુદાયની ભાષામાં તુચ્છકાર હોય તો ક્ષમ્ય ગણીને ચલાવી લેવાય, પણ સાધુની વાણીમાં કદી તુચ્છકાર ન હોય.
તીર્થ તો પ્રભુની ભકિત માટે છે. આ તીર્થનું હું કશુંય વાપરું તો મારી
આકિત વધે.
કોઇ ઉત્તેજનામાં ગમે તેમ બોલે ત્યારે તમારા મનને કહી દો કે આ રોગ નંબર છે. આપણે ઘેર ફોન આવ્યો હોય. માણસ ગમે તેટલું બોલતો હોય, પણ તમે માત્ર આટલું જ કહો કે આ રોગ નંબર છે તો કેવો ઠંડોગાર થઈ જાય છે !
જુવાની માં ટેકો લેશો તો બુઢાપામાં સૂવું પડશે.
કોઇ વ્યકિત ભૂલ કે દોષ કરે પરંતુ આપણે તો એમાંથી એના સદ્ગુણ જ જોવાના અને ગ્રહણ કરવાના હોય, દુર્ગુણ નહીં.
૧૬૬
For Private And Personal Use Only