Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal

View full book text
Previous | Next

Page 45
________________ ૩૬ વાચન-મનન-નિદિધ્યાસન. વાચન-મનન-નિદિધ્યાસન. કમારિકાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતેમાં એક એ બાબત પણ સમાવેશ પામે છે કે, તેણે પોતાને જ ઉત્તમ જણાતાં વિવિધ વિષયનાં પુસ્તકોનું વર્ગીકરણ કરી રાખવું અને ત્યારપછી અનુકૂળતાએ તેવાં પુસ્તક મંગાવી રાખી કમસર વાંચતાં રહેવું જોઈએ. ૨. હંમેશાં એ વાત ધ્યાનમાં રાખવી કે જે પોતાનો અધિ કાર હાય યા યેગ્યતા હોય તેવાં જ પુસ્તક વાંચવાથી લાભ થાય છે. અધિકાર વિનાનું વાચન કંઈપણ ઉપયેગી થતું નથી. માટે પિતાની યોગ્યતા વિચાર્યા વિના પુસ્તક હાથમાં લેવું નહિ. ૩. જીવનને ઝેરમય બનાવનાર તરીકે સિદ્ધ થઈ ચૂકેલાં અમૂક નવલકથાનાં પુસ્તકને નજરે પણ નીહાળશો નહિં, નજરે નીહાળવાની આજ્ઞા નથી તે તેને સ્પર્શ કરી તે વાંચવાની તે હેાય જ શાની? ૪. ઉત્તમ પુસ્તક અથવા ઉત્તમ લેખ વાંચવાથી જીવનમાં ઉત્તમ સંસ્કારો પાડવાનું સૂઝે છે, ત્યારપછી તે પાડવાના વિચારે થાય છે, અને પરિણામે તેવા જ સંસ્કાર પડે છે. ઉત્તમ પુસ્તકનું વાચનમાત્ર કરવાથી કાર્ય સરે તેમ નથી પરંતુ તેવાં પુસ્તકની અમૂક લીટીઓ વાંચ્યા પછી તે પર થોડીવાર સુધી વિચાર કરે, તેનું મનન કરવું, અને પછી ધીમે ધીમે તે વિષે ઉંડાણમાં ઉતરવું, આ ક્રમ બરાબર જાળવ્યા પછી નિદિધ્યાસન એટલે તેનું પુનરાવર્તન કરવું. –CED Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92