Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
-~-~-
~~
-~
અર્થાત-ક્ષમારૂપ હથિયાર જેણે ધારણ કર્યું છે તેને દુર્જન શું કરવાનું છે? કંઈજ નહિ.
બીજે ઠેકાણે એમ પણ છે કે–રમા વીરસ્ય ભૂષા.
અર્થ-ક્ષમા એ વીરનું—[વીરાંગનાનું પણ] ભૂષણ છે ઉપલી ઉક્તિઓનું ઉંડું રહસ્ય તે એટલે સુધી છે કે જે માણસમાં વાસ્તવિક રીતે ક્ષમાગુણ ખીલવા પામે છે તેને આ જગતમાં કોઈ શત્રુ શોધ્યે જડે તેમ નથી! આ ગુણના દાખલા માટે દૂર શા માટે જવું જોઈએ, ક્ષમાના ભંડાર રૂપ ગણાતા મહાત્મા ગાંધીને જ જુઓ, તેમાનામાં આ ગુણ ખીલેલો હોવાથી કરોડ હિંદીઓ તે નમે છે, ઉપરાંત યૂરોપ, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ચીન, ઈટાલી વગેરે પરદેશના લેકે પણ તેમના આ ગુણની કદર રૂપે તેમની તરફ ભક્તિભાવ બતાવી રહ્યા છે. જ્યારે આ ક્ષમા ગુણ સર્વ ગુણેમાં મુખ્યપદ ધરાવે છે ત્યારે ગૃહતંત્ર ચલાવવા માટે ગૃહરાજ્યની અધિષ્ઠાત્રીમાં તે આ ગુણ હાજ જોઈએ એમાં સંશયજ હાય કેમ? જ્યાં ક્ષમા ગુણ એ ત્યાં સંસારના દુઃખનું મૂળ ગણાતે ફ્લેશ તે ઉભેજ રહેવા પામતે નથી. આ ગુણનું એવું સર્વોપરિપણું હોવાથી જૂને ગૃહકલેશ પણ નાશ થઈ શાંતિને વિસ્તાર થાય છે.
આ પ્રસંગે અહિં કહેવું જોઈએ કે ક્ષમા ગુણ એ સદગુણ હોવા છતાં તેનો ઉચિત ઉપગ જે ન કરવામાં આવે તે તે
ણ પણ બની જાય છે. હિંદુ સંસારમાં હાલમાં કેટલીક સાસુએ, નણંદો અને જેઠાણીઓ, વહુ તરફ એટલું અસમાન વર્તન ચલાવે છે કે જેના દર પરિણામો જગજાણીતા છે. તમારી વર્તમાન સાસુએ, ન દે કે જેઠાણીઓ અરે! તમારા પતિ તરફથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com