Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
અાનતા,
વિચારે સમાવેશ પામે છે, જ્યારે તેનું ઉત્તરાર્ધ એ છે કે “વિકટ પ્રશ્નો” આ વિકટ પ્રશ્નો ક્યા કયા છે? તે કેવી રીતે સોલ (Solve) થઈ શકે છે યાને કેવી રીતે તેને નીકાલ લાવી શકાય છે તેને લગતા વિચાર કરવામાં આવેલા જોઈ શકાશે. આશા છે કે, આ વિચારો આપ લક્ષપૂર્વક સાંભળશો. અજ્ઞાનતા,
હેને! તમારો જે પ્રશ્ન સાથે સંબંધ છે તે સર્વમાં પહેલે પ્રશ્ન જે છે તે “અજ્ઞાનતા” છે, હું એમ લગારે કહેવા ધૃષ્ટતા કરતો નથી કે, “આ અજ્ઞાનતા સ્ત્રીઓમાં જ છે અને પુરૂષ તે. તેથી મુકત છે,” ખરૂં કહીએ તે પુરૂષ સમાજની પણ કેટલેક અશે એજ દશા છે. અહિં આપણે જે વિચાર કરવાનું છે તે સ્ત્રી સમાજની અજ્ઞાનતાના પ્રશ્નને કેવી રીતે નીવેડો લાવી શકાય તેજ છે.
હેન, આ અજ્ઞાનતા દૂર કરવા માટે જે કંઈ કરવાનું છે તે એ છે કે, જ્ઞાન-પ્રાપ્તિના જે જે માર્ગો હોય તે તે માર્ગો કેઈપણ જાતને ભય ધર્યા વિના, કેઈપણ જાતને સંકેચ રાખ્યા વગરછૂટથી વિહરવાની જરૂર છે. કેઈ સંચાગવશાત્ તમારા બાલ્યકાળમાં તમે શાળા-પાઠશાળાનું ભણતર ઓછું ભણી શકયા હો તેની કશીએ ચિંતા કરશે નહિ, ભલે તમારે શાળા-પાઠ શાળા પૂરે અભ્યાસ કર્યા વગરજ છોડવી પડી હોય, પરંતુ જગતરૂપ જે મહાશાળા છે, કે જે જ્ઞાન અને અનુભવ મેળવવાનું પરમ સાધન છે તેને લાભ તે જરૂર લઈ શકે છે. આજે તમે કે અમે જે દુખનો અનુભવ કરીએ છીએ તેનું ઉડામાં ઉંડું અને મુખ્યમાં મુખ્ય કેઈ કારણ હોય તે તે અણાનતાજ છે.
આ અજ્ઞાનતા દૂર કરવા માટે “અમારૂં જે થયું તે ખરૂં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com