Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
વયે થયેલાં ગર્ભાધાનનાં પરિણામે બાળાઓના કાચા બાંધા તારના તૂટી જાય છે. બસ ! અહિંથી તેમનાં રોગી જીવનની શરૂઆત થાય છે તે આખા જીવન પર્યત ભેગવવું પડે છે અને આખરે અકાળેજ એ બાળાએ કાળનાં મુખને કેળી બની જાય છે. હા ભારત ! હજુ પણ આ કુરૂઢિના પરિણામે દેવીસમી તારી કેટલીક કુમળી કન્યાઓ મૃત્યુને ભેગા થઈ રહેશે?
બહેને, શારીરિક અને માનસિક આરોગ્યના અંગભૂત ગણાતાં તમાં સ્નાનથી શરીરને સ્વચ્છ રાખવું, સ્વચ્છ વસ્ત્રો પહેરવાં, અતિ તંગ વસ્ત્રો નહિ પહેરતાં તુને અનુસરે વસ્ત્રો પહેરવાં. ખુલ્લી હવામાં ફરવું, આહાર-વિહારમાં મર્યાદિત અને નિયમિત રહેવું, ધાર્મિક અને નૈતિક સાહિત્ય વાંચવા ઉપરાંત અન્ય સાત્વિક બુદ્ધિવર્ધક વિષયનાં વાચન તેમજ સત્સમાગમ દ્વારા શારીરિક અને માનસિક ઉભય પ્રકારનાં આરોગ્ય જાળવી રાખવાની તમારે ખાસ જરૂર છે.
હેને, લેકપ્રસિદ્ધ કહેવત પણ છે કે “પહેલું સુખ તે જાતે નર્યો” એટલે કે રોગરહિત રહેવું એ સર્વ સુખમાં પહેલું સુખ છે. આ પ્રમાણે આ વસ્તુ સ્પષ્ટ હોવા છતાં આ વિષયમાં કાળજી રહિતપશું જોવાય છે. તેથી જ આ પ્રશ્ન તમને સતાવી રહ્યો છે. બહેને, આ વિષયનું સાહિત્ય નિત્ય અને નિયમિતપણે વાંચી અમલમાં મૂકશે તે આ અનારોગ્ય સંબંધી બીજા પ્રશ્નને પણ સહજ નિકાલ લાવી શકાશે. અસમાનતા.
બહેને, તમારાં જીવનને ત્રીજો પ્રશ્ન પુરૂષ સાથે અસમાનતાને છે, એટલે કે તમારાથી પુરૂષો મોટા છે, ઉંચા છે,બળવાન છે, એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com