Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 221
________________ જ્ઞાતા-દ્રષ્ટા-જ્ઞાયક ૩૫૭ ૩૫૮ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : દ્રષ્ટાપદ તો રહે. પણ પાછું જ્ઞાતાપદમાં પેસતો જાયા કરે ને આખો દહાડો. એટલે નિરંતર પુરુષાર્થ ચાલુ છે ! પ્રશ્નકર્તા : એટલે આવ્યા જ કરવાનું? દાદાશ્રી : પુરુષાર્થ નિરંતર ચાલુ જ હોય, પુરુષ થયા પછી. અને પાંચ આજ્ઞા એટલા જ માટે આપી છે, પુરુષાર્થ કરાવવા માટે જ. નિરંતર પુરુષાર્થ ચાલુ જ હોય. સંયમના પરિણામો જ થયા કરે. લોકો ય જુએ કે હમણાં તો વઢમ્વઢા કરતા'તા ને, મતભેદ ને ભાંજગડો થઇ ગઇ'તી ને પાછાં ફરી ભેગા થઈને ખાય છે, પીવે છે બધું, શું થઈ ગયું આ? એ સંયમ પરિણામ ! પ્રશ્નકર્તા ઃ તો આપ એવું કહેતા હતા કે અમારા મહાત્માઓને દ્રષ્ટા હોય અને અમારે જ્ઞાતા-દ્રષ્ટા પદ હોય. દાદાશ્રી : હા, તમારે દ્રષ્ટા હોય. દર્શન ખૂલ્યને એટલે દ્રષ્ટા હોય. પ્રશ્નકર્તા: જ્ઞાતાપદ ના હોય ? દાદાશ્રી : હવે જ્ઞાતા એ અનુભવ થતો થતો થાય. જેટલો અનુભવ થાય એટલો જ્ઞાતા રહેવાય. આમને કો’કે ગાળ ભાંડી, તે ઘડીએ હાલી જવાય પણ પાછું મનમાં એમ લાગે કે ના, એ જેને ભાંડી તે મારું સ્વરૂપ નથી. એટલે અનુભવ થયો એટલે ફરી પાછું એ થોડું વધારે રહે બીજી વખતે. એ પછી જ્ઞાનમાં રહેતું રહેતું રહેતું જ્ઞાતાપદમાં આવે. પ્રશ્નકર્તા: એટલે જેમ જાગૃતિ વધે તેમ જ્ઞાતાપદ વધે? દાદાશ્રી : જાગૃતિ તો છે જ, પણ પેલા હિસાબ છે ને, તે હિસાબ ચૂકતે કર્યા વગર જાગૃતિ રહે નહીં. હિસાબ જેમ ચૂકતે થતો જાય તેમ જ્ઞાન વધતું જાય. દર્શન-જ્ઞાન ભેગા થાય, એનું નામ ચારિત્ર્ય. તે ઘડીએ મહીં તપની જરૂર પડે ! અનુભવ તો તે વખતે ચરર ચરર મહીં બોલે, જેમ પટ્ટી ઉખાડતાં હોય તો વાળ-વાળ સાથે લઇને ઉખડેને ! મહીં તપી જાય હૃદય, ખરેખરું તપી જાય એ અદીઠ તપ ! અદીઠ તપ દેખાય નહીં કોઈને. મોઢા ઉપરથી ખબર પડે, પણ અદીઠ તપ બહાર દેખાય નહીં. અને આ લોકો બાહ્ય તપ કરે, એનું ફળ સંસાર ફળ અને અદીઠ તપનું મોક્ષ ફળ. જગતને અદીઠ તપ હોય જ નહિ. પ્રશ્નકર્તા: દાદા, અમને તો વાર લાગવાની ને? હજુ અમારે તો દ્રષ્ટાપદ જ રહેવાનું ને ? દાદાશ્રી : દ્રષ્ટાપદ તો બહુ ઊંચું પદ કહેવાય. પ્રશ્નકર્તા : ના, એટલે અમારે તો દ્રષ્ટાપદ જ રહેવાનું ને કે જ્ઞાતાપદ આવશે ? પરિણામ માત્ર ખરી પડે જ્ઞાતીને ! જ્ઞાની પુરુષ ઠોંસા ખાય છે, કેવી ઉધરસ ખાય છે અને તે અમને ય મજા આવે છે કે કહેવું પડે ! પ્રશ્નકર્તા ઃ એટલે આ ઠોંસા ખાનારાં જ્ઞાની પુરુષ કોણ અને મજા કરનારા અમે કોણ ? દાદાશ્રી : ઠોંસા ખાનારાં જ્ઞાની પુરુષ, મજા કરનારી પ્રજ્ઞા. પરિસ્થિતિના માલિક છે એ ઠોંસો ખાય. પરિસ્થિતિ શબ્દ વાપરવા જેવો પ્રશ્નકર્તા : પણ એટલાં માટે દાદાએ કીધુંને કુદરતમાં કોઈને શિક્ષા નથી કે કોઈને લાભ નથી, એનું પરિણામ આપે. દાદાશ્રી : હા. પરિણામ આપે. પ્રશ્નકર્તા: આપણે જો કાલે રાત્રે બહાર ના નીકળ્યા હોત તો આ ઠોંસો ખાવાનો વારો ન આવત ? એ જ પરિણામ. દાદાશ્રી : તો આ પરિણામ ના આવ્યું હોત, પછી પરિણામ ના આવત તો આ રહી જાત મહીં પરમાણુ. માટે નીકળ્યા એ બરાબર છે. આ

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296