Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 264
________________ આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ ! ૪૪૩ ૪૪૨ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા અને એ રોંગ બિલિફ છૂટી જાય તો પ્રયાસ કરનારો જતો રહ્યો કહેવાય ? દાદાશ્રી : પછી અપ્રયાસ દશા, સહજ થઈ ગયો. અમે ખાઈએ-પીએ એ બધું સહજ કહેવાય. પ્રશ્નકર્તા તો રોંગ બિલિફ હતી ત્યારે પ્રયાસ કરનારો કહેવાયો, એ રોંગ બિલિફ ગયા પછી શું બને છે એ ? દાદાશ્રી : ડિસ્ચાર્જ અહંકાર. પ્રશ્નકર્તા તો આ ડિસ્ચાર્જ અહંકારની ક્રિયામાં, એના પરિણામમાં શું ફેર હોય ? દાદાશ્રી : સહજ ! પ્રયાસ કરનાર ના હોય, સહજ હોય. પ્રશ્નકર્તા : હા, પણ એ સહજ હોય એમાં, પેલો પ્રયાસ કરનારો અહંકાર ના હોય, પણ ડિસ્ચાર્જ અહંકાર તો હોયને એમાં ? દાદાશ્રી : એનો વાંધો નહીં. એ તો હોય જ ને ! એ તો એનું બધું મડદાલ. એનું નામ જ સહજ ક્રિયા. દાદાશ્રી : કશુંય નથી બનતું, ડખો જતો રહે છે. પ્રશ્નકર્તા : પણ જેને રોંગ બિલિફ હતી એનું અસ્તિત્વ હોય છે પછી ? દાદાશ્રી : એક બાજુ આત્મા ને એક બાજુ આ દેહ, અપ્રયાસ દેહ, મન-વચન-કાયા. એ પછી પુદ્ગલ તો છે જ. પણ તે વચ્ચે ઇગોઇઝમ ભાગ ઊડી ગયો. જેને સ્ટ્રેઈન પડતો હતો એ ચાલ્યો ગયો, થાતો હતો તે ચાલ્યો ગયો. કંટાળી જતો હતો તે ચાલ્યો ગયો, વો સબ ચલે ગયા. પ્રશ્નકર્તા : તો રહ્યો કોણ ? દાદાશ્રી : કશુંય નહીં. આ સહજ રહ્યું. બીજા કોઈની મહીં ડખલ ના રહી. જ્ઞાતી સદા અપ્રયત્ત દશામાં ! પ્રશ્નકર્તા : જમવાનું યાદ આવે, પેલી ચા યાદ આવે, એ બધું એને વિચાર આવ્યા કરે તો પેલી સહજતા તૂટી કહેવાય ? દાદાશ્રી : સહજતા તુટી જ જાયને ! સહજતા તુટે તેથી કંઈ આત્મા ખાતો નથી, એ તો ખાનારો ખાય છે. છેવટે દેહને સહજ કરવાનો છે. આહારી થયો પણ સહજ કરવાનો. સહજ થવાની જ જરૂર. સહજ થતાં ટાઈમ લેશે. પણ સહજ એટલે પૂર્ણતા. સહજ એટલે સંપૂર્ણ અપ્રયત્ન દશા. અપ્રયત્ન દશાથી ચા આવે, ખોરાક આવે તો વાંધો નથી. જ્ઞાની પુરુષ કોને કહેવાય ? જે નિરંતર અપ્રયત્ન દશામાં હોય તે. જગત આખું પ્રયત્ન દશામાં છે અને તમે યત્ન દશામાં છો. સારું-ખોટું કરો છો, તેમાંથી ડખો કરો છો, તમને એમ થશે કે આ પુલની વંશ જતી રહેશે તો શું થશે? આ પુદ્ગલની વંશ કોઈ દહાડો જતી નથી. જ્ઞાતા-દ્રષ્ટા, અક્રિય એવો આત્મા છે. એને યત્ન ય ના હોય ને પ્રયત્ન ... ના હોય. પ્રશ્નકર્તા : આપને આત્મા જુદો વર્તે ! એટલે પ્રદેશ પ્રદેશે બધી જગ્યા એ જુદો વર્તે ? દાદાશ્રી : હં, બધી જગ્યાએ. છે જ જુદો, તમારે ય જુદો છે. પ્રશ્નકર્તા: આ દેહની ક્રિયા કરવાની હોય, વાણી છે, પણ એમાં પેલો અહંકારની જરૂર પડે છેને ? દાદાશ્રી : કશી જરૂર નહીં. કૉઝિઝ કરનારો જ ચાલ્યો ગયો ત્યાં ! ઇફેક્ટ એકલી રહી. પ્રશ્નકર્તા : તો પછી પેલું કહો છોને તમે કે અહંકાર સહી ના કરે ત્યાં સુધી ક્રિયામાં ના આવે, તો એ કયો અહંકાર પછી ?

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296