Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 282
________________ એક પુદ્ગલને જોવું ! પ્રશ્નકર્તા : ઠોકવાવાળો ય પુદ્ગલ ને આ ય પુદ્ગલ ? દાદાશ્રી : બહુ પાકાં. ४७८ મહાવીરતી છે આ રીત ! પ્રશ્નકર્તા : ભગવાન મહાવીર પોતાના એક પુદ્ગલને જોતા હતા. એટલે ભગવાન મહાવીર આત્મામાં રમણતા કરે છે કે પુદ્ગલને જુએ છે ?! દાદાશ્રી : પુદ્ગલને જોવું અને જાણવું, એનું નામ જ આત્મરમણતા. ભગવાન મહાવીર શું કરતા, એક પુદ્ગલમાં જ સ્થિર દ્રષ્ટિ કરીને જ રહ્યા. ત્યાં પછી કેવળજ્ઞાન ઉપજ્યું’તું. પ્રશ્નકર્તા : છેવટે આ કરવાનું છે એ લક્ષમાં હોવું જોઈએ. દાદાશ્રી : હોય જ બધાંને, શબ્દ ના સમજાયો હોય પણ એમ ને એમ તો એનું લક્ષ હોય જ. આત્મરમણતા, સ્વરમણતા બધું એકનું એક જ. સ્વરમણતા એટલે પેલું પુદ્ગલ જ જોતો હોય. પ્રશ્નકર્તા : આપને તો એવું રહેતું હોયને, દાદા ? દાદાશ્રી : અમારે થોડું કાચું પડી જાય. આ જે તમે વાત બોલો છોને, એ પ૨૨મણતામાં બોલો છો. આખો દહાડો પ૨૨મણતામાં જ રહો છો તમે. સ્વરમણતામાં, નિશ્ચયથી સ્વરમણતામાં, બાકી વ્યવહારમાં જ તમારો નિશ્ચય વર્તે. આવું જ હોય, છતાં આ તો બહુ ઊંચું પદ કહેવાય ! ભગવાન મહાવીર તો બસ, એકલું પોતાનું જ પુદ્ગલ જોયા કરતા’તા. કારણ કે એમાં છ દ્રવ્યો છે, એ તો એમને દેખાય જ નિરંતર. એક પુદ્ગલમાં જ દ્રષ્ટિ રાખતા’તા. એક જ પુદ્ગલ, બીજું નહીં. જે એક પુદ્ગલનો સ્વભાવ છે એ સર્વ પુદ્ગલનો સ્વભાવ છે. સ્વભાવ એકનો એક જ જાતનો છે. એટલે ભગવાનની રીત મેં તમને આપી છે. તે રીતે ચાલો હવે. ܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296