Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 279
________________ ૪૭૨ ૪૭૩ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) એક પુદ્ગલને જોવું ! પ્રશ્નકર્તા હવે આ પોતાના પુદ્ગલને જ જોવાનું, બીજું કંઈ ધ્યાન કરવાનું રહ્યું નહીં. દાદાશ્રી : એ તો વાંધો નહીં. એ તો જરૂર જ છે. એ ધ્યાન ના કહેવાય. એ દ્રષ્ટા-દ્રશ્ય કહેવાય છે. પ્રશ્નકર્તા : એટલે આપણે શરીરને જ જોવાની વાત છે. દાદાશ્રી : તેનો વાંધો નથી. એ તો બધી જરૂર જ છે ને ! એક પુદ્ગલને જ જોયા જ કરવાનું છે. એક પુદ્ગલ એટલે શું ? સાવ બહુ કિંમતી હોય તે ય પુદ્ગલ અને જેની વેલ્યુ કશું ય ના હોય તે ય પુદ્ગલ. એટલે બધું સરખું માનવું પુદ્ગલ. પુદ્ગલ એટલે વિનાશી. પોતે દ્રષ્ટા થાય ત્યારે પેલું મહીં શું છે, જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ્ઞાતા થઈએ એટલે પેલું જોય છે. એક પુદ્ગલ એટલે શું ? પ્રશ્નકર્તા : એક પુદ્ગલ એટલે આપ શું કહેવા માંગો છો ? દાદાશ્રી : આ બધું જ દેખાય, જુદું જુદું દેખાય છે પણ પુદ્ગલ એટલે પૂરણ-ગલન સ્વભાવ જ છે. એટલે એ આખા શરીરમાં પુદ્ગલ એકલું જ જુએ છે, બીજું કશું જોતાં નથી. વિશેષણ નથી આપતાં એવું કહેવા માંગે છે. પ્રશ્નકર્તા : એક પુદ્ગલ જુઓ છો એટલે પૂરણ-ચલન જોયા કરો છો એમ કહેવા માંગો છો આપ ? દાદાશ્રી : એક જ પુદ્ગલ, બીજું વિશેષ નહીં. આ બધું જે ગણો તે બધું એક જ પદ્ગલ જ છે. બીજું કંઈ છે નહીં આ. હું એટલે પુદ્ગલ રૂપે જ જોય છે આ બધું. એટલે વિશેષણરૂપે આપવા માંગતો નથી. હિસાબ છે આ પૂરણ કરેલાં, તે બધા ગલન થવાના એ બધા ચીકણા છે. એક જ પુદ્ગલ, પછી ગાય હોય, ભેંસ હોય. પ્રશ્નકર્તા: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પુદ્ગલમાં આવી ગયા ? મન, બુદ્ધિ, ચિત્ત કહીએ બધું પુદ્ગલમાં આવી ગયું? દાદાશ્રી : પુદ્ગલમાં દરેક ચીજ આવી ગઈ. અહંકાર-બહંકાર બધું જ. આખું જગત એક પુદ્ગલમાં આવી ગયું. ઈન્દ્રિયોથી દેખાય છે એ બધું. પ્રશ્નકર્તા આપણા પુદ્ગલનું કે સામાનું પુદ્ગલનું જે પણ થાય છે એ પૂરણ-ગલન જ છે. દાદાશ્રી આત્મા સિવાય બીજું બધું પુદ્ગલ. એનું લાંબું લાંબું કર્યું આપણે પછી, એ લોક કહેશે, કંઈક લાંબું કહો. ત્યારે મેં કહ્યું, શૌચાલય, ભોજનાલય અને પૂરણ-ગલન ને શુદ્ધાત્મા. આ બધો સામાન લાવીએ છીએ એ બધો એ ભોજનાલય છે અને આ બધું જે સંડાસ થાય છે, એ બધું બીડીઓ નાખી દઈએ, એ બધાં શૌચાલય છે. પૂરણ-ગલન ને શુદ્ધાત્મા, બીજું કશું છે જ નહીં. એના જ લોકોએ બુદ્ધિથી ભાગ પાડ્યા. આ તો સોનું છે, ચાંદી છે, આ સીસું છે, લોખંડ છે, બધા. ભાગ પાડ્યા બુદ્ધિની કસોટીથી. પ્રશ્નકર્તા ગમે તે હોય પણ છતાં પુદ્ગલ જ છે. દાદાશ્રી : પુદ્ગલ જ છે, એ આખું ય પુદ્ગલ છે. હવે જે રૂપી પરમાણુ, રૂપી છે, એનો ગુણ મુખ્ય કયો છે ? ત્યારે કહે, પૂરણ-ગલનનો સ્વભાવ છે. પૂરણ થયેલું હોય તો ગલન થયા કરે, પાછું ગલન થઈ ગયું હોય તો પાછું પૂરણ થયા કરે. એટલે પૂરણ-ગલન, પૂરણગલન, પૂરણ-ગલન થયા જ કરે. અહીં આગળ નાખ્યું ખાવાનું પાણી પીધું, એટલે સંડાસમાં, બાથરૂમમાં. અહીંથી શ્વાસ લીધો તો ઉચ્છવાસ. આ પૂરણગલન, પૂરણ-ગલન થયા જ કરે. નહીં થતું? પ્રશ્નકર્તા : થાય છે ને ! દાદાશ્રી : આ બધું એનો ગુણ. મહાવીર શું તપ કરતા હતા, એ સમજી ગયાને તમે ?! અદીઠ તપ ! મહાવીર એક પુદ્ગલને જ કેવી રીતે જોતા હતા ? અંદરની જ બધી હલનચલન, બધી જ ક્રિયા, અંદર અંદન

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296