Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 235
________________ જ્ઞાતા-દ્રષ્ટ, જ્ઞાયક ૩૮૫ ૩૮૬ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) જોઇએ, ફક્ત. પ્રશ્નકર્તા: પહેલાનું જે જીવન હતું, એ જીવનમાં ફેરફાર થાય છેને ? દાદાશ્રી : થઇ જાય છે ફેરફાર. જેટલો જાગૃત એટલા પ્રમાણમાં થઇ જાય ફેરફાર. જેટલો જાગૃત હોય એટલે ઉડી જાય બધું એમ ને એમ. વિધિ વખતે દાદા એકાકાર ! એક મિનિટ પણ એક વર્ષમાં અમે ના હોઈએ, બે વર્ક અમારા દરેક વખતે. આ થોડોક જ વખત આ વિધિ થાય ત્યારે એક વર્કમાં હોઉં, બાકી ખાતી વખતે, નહાતી વખતે બે વર્કમાં હોઉં. પ્રશ્નકર્તા : એ બે વર્ક ક્યા? દાદાશ્રી : આ મને નવડાવતા હોય અને હું છે તે મારા ધ્યાનમાં હોઉં એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણું હોય એટલે અમારું તો બે બધું જ હોય હંમેશાં ય. પ્રશ્નકર્તા : પણ એ નવડાવતા હોય, તમે તો જ્ઞાતા-દ્રષ્ટા હો તો બે વર્ક કેવી રીતે થાય ? દાદાશ્રી : પોતે નહાતો હોઉં, આ એમની જોડે વાતો હઉ કરતો જાઉં. એ જાણે કે આપણી જોડે જ જાય છે. કોઈને એમ ના ખબર પડે કે આ બીજા કામમાં છે અને બીજા માણસો બીજા કામમાં પડેને તો આપણે એમ જાણીએ કે ખોવાઈ ગયો, કંઈક ખોવાઈ ગયો એવું લાગે. અમારું એવું ના ખબર પડે. દાદાશ્રી : ના, વિધિ કરીએ તે ઘડીએ જ્ઞાતા-દ્રષ્ટા ના હોય, તે ઘડીએ એકઝેક્ટ જ્ઞાનીપુરુષ તરીકે હોય, નહીં તો તમારું કામ ફળે નહીંને ! પ્રશ્નકર્તા : એટલે એકઝેક્ટ એટલે તમે એ.એમ.પટેલ થઈ જાવ કે શું થાય છે ? દાદાશ્રી : ના, એ જ્ઞાની પુરુષ. પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ એટલે એ.એમ.પટેલ ? દાદાશ્રી : નહીં, એ.એમ.પટેલ તો આ બોડી. અમે જ્ઞાની પુરુષ તે વખતે એટલે, નહીં તો વિધિ ફળે નહીં એમની. અને અમારે કંઈ એવી ઉતાવળ નથી કે કાલે ને કાલે મોક્ષે જવું છે એવું. પ્રશ્નકર્તા : જ્યારે તમે વિધિ કરતા હો, ત્યારે તમે જ્ઞાની પુરુષ, તો દાદા ભગવાન ક્યાં જાય, ત્યારે ? દાદાશ્રી : દાદા ભગવાન તો તેની તે જ જગ્યાએ બેઠા છે. મારી એ તરફની દ્રષ્ટિ ઓછી થઈ જાય, બંધ થઈ જાય. અમારી દ્રષ્ટિ તે ઘડીએ સીમંધર સ્વામીમાં હોય, બીજી જગ્યાએ હોય, તમારી વિધિ કરવાની તે વખત. અવસ્થાઓમાં અસ્વસ્થ, સ્વમાં સ્વસ્થ ! જે અવસ્થા ઉત્પન્ન થાય છે એ અવસ્થા બધી વિનાશી છે અને આ છે તે અવસ્થામાં રહે છે માટે અસ્વસ્થ રહે છે. સ્વ અવિનાશી છે, તે અવિનાશીમાં રહે તો સ્વસ્થ રહી શકે ને નહીં તો પેલો અસ્વસ્થ થયા કરે. પ્રશ્નકર્તા : એ પોતે જોઈ શકે અને જાણી શકે કે આ અવસ્થામાં અસ્વસ્થ રહે છે છતાં ય સ્વસ્થ નથી રહેવાતું ? દાદાશ્રી : હા, એ જોઈ શકે. છતાં ય અસ્વસ્થતા જાય નહીં. ત્યાં આગળ શું થાય છે કે જોનાર એ દાદાએ આપેલો આત્મા છે. શુદ્ધાત્મા જ આ જોનાર છે. આપણે બધા તે રૂપે રહીએ, તો કશી ભાંજગડ નથી. બાકી પ્રશ્નકર્તા : અને તમે વિધિ કરતા હો ત્યારે એક કામ એટલે કયુ કામ એ ? દાદાશ્રી : એ તો એક જ કામમાં, એ વિધિ કરવી એમાં જ હોય. પ્રશ્નકર્તા ઃ અને જ્ઞાતા-દ્રષ્ટા ત્યારે તમે શું કરો ?

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296