Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 253
________________ ૪૨૦ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ ! ૪૨૧ નથી?” ત્યારે કહે, “ના, જવું જ પડશે.' ત્યારે અમે કહીએ, ‘બરોબર છે'. રોક્યું રોકાય નહીંને ! એ કહીને શબ્દો પાછો ખેંચી લેવા. પ્રશ્નકર્તા કહ્યું એ ડખોડખલ થઈ ? દાદાશ્રી : ના. એ શબ્દ પાછાં ના ખેંચી લે તો ડખોડખલ થાય. નહીં તો પેલો કહેય ખરો કે ચંદુભાઈ વગર કામના ટોક ટોક કર્યા કરે છે. એટલે આપણે એને કહીને પછી પાછું ખેંચી લેવું કે ના, બરોબર છે. અમે આમ કહીએ છીએ, પણ અમે તો આ શબ્દો પાછો ખેંચી લઈએ છીએ. અમારે ના કહેવું જોઈએ તમને. આવું શબ્દો પાછાં ના ખેંચી લો, આનું નામ જ ‘ડખો’ કર્યો. ડખો કર્યો એટલે ડખલ થઈ ગઈ. આપણે તો એને કહીએ પણ પ્રકૃતિ છોડે નહીંને ! એ પોતે ના કહેતો હોય, એ બધાય કરાર કરી આવ્યો હોય તોય કરાર ભાંગીને જાય છે. કારણ કે પ્રકૃતિનો બંધાયેલો છે. ડિસ્ચાર્જ છે કર્મ એટલે કોઈનેય સાધારણ ટકોર કરવી જ નહીં. એને એમ જ કહેવું કે ‘સત્સંગ માટે આવજો'. પોઝિટીવ બોલવું, નેગેટીવ ના બોલવું, નેગેટીવમાં બધે ડખલ થઈ જશે. કહીએ પછી એના શબ્દો આપણને પાછાં મળે કે “ના, મારે જવું પડશે. તમે ના કહો છો પણ મારે જવાનું છે.” એટલે આપણે જાણીએ કે આ ડખો કર્યો, તો આ ડખલ થઈને આ. અમારે એવું ના થાય. એ શબ્દો તરત પાછા ખેંચી લઈએ. અમે જાણીએ કે જે બનવાનું છે, એમાં એનુંય ચાલવાનું નથી, મારુંય ચાલવાનું નથી. અમથું શું કરવા એમાં ડખો કરવો ! હોય ? દાદાશ્રી : એની પ્રેક્ટિસ છે એ તો. પ્રેક્ટિસને બંધ કરવી પડે કે હવે ડખોડખલ ક્યારેય પણ નહીં થાય એવું. એવી એ ચાવી વાળ વાગ કરે ત્યારે પછી બીજું કંઈ થોડો-ઘણો માલ હોય તે નીકળી ગયા પછી બંધ થાય. પ્રશ્નકર્તા : કારણ કે આપણે સહજ થવું હોય અને જોયા કરવું હોય તો ડખોડખલ કામની નહીં બિલકુલ. દાદાશ્રી : એ તો પહેલાંનો માલ ભરેલો નીકળ્યા વગર રહે નહીં, તેને આપણે જોઈએ તો સહજ છીએ. પેલું (પ્રકૃતિ) સહજ થશે, બન્ને સહજ થશે ત્યારે ઉકેલ આવશે. પણ અત્યારે તો એક સહજ થયા તો ય બહુ થઈ ગયું. ભરેલો માલ તો ફૂટ્યા વગર રહે જ નહીં ને ! ભરેલો માલ ના ગમતો હોય તો ય નીકળ્યા કરે. પ્રશ્નકર્તા: જૂની ટેવો અને સ્વભાવ પડ્યા હોય, હવે એ પ્રકૃતિ છે. તમે જ્ઞાન આપો છો ત્યારે આત્મા અને પ્રકૃતિ, બે જુદું પાડી આપો છો. શુધ્ધાત્મા સ્વસ્વરૂપમાં રહે, પોતાના સહજ સ્વરૂપમાં, તો પ્રકૃતિ પણ એની સામે સહજ થવી જોઇએ ને ? દાદાશ્રી : આત્મા તો સહજ જ છે. તમે જેટલા સહજ થયાને એટલે પ્રકૃતિ સહજ જ થઈ કહેવાય. પ્રશ્નકર્તા: હવે એને એ પ્રકૃતિ સહજ રહેતી ના હોય તો એ જુએ ને જાણે. પ્રશ્નકર્તા : એટલે ચરણવિધિ સવારે બોલીએ આપણે તો એમાં એ હેલ્પફૂલ કરે ? એ પેલાને ટોકતાં અટકાવે આપણને ? દાદાશ્રી : આ સમજીએ તો હેલ્પફૂલ થાય ! ભરેલો માલ તો નીકળે જ ! દાદાશ્રી : હા એટલી કચાશ, એટલી ફાઇલનો નિકાલ કરતાં વાર લાગે છે. એટલી જાગૃતિ ઉત્પન્ન થઇ નથી. જાગૃતિ નિર્બળ છે. ક્ષણે ક્ષણની જાગૃતિ જોઇએ. ત્યારે વચ્ચે સિક્કો મોક્ષતો પ્રશ્નકર્તા : આ સંસારમાં ડખોડખલ કર્યા વગર કેમ નહીં રહેવાતું પ્રશ્નકર્તા : મોક્ષની સ્થિતિ ક્યારે પ્રાપ્ત કરી ગણાય ?

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296