Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 257
________________ ૪૨૮ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : ભગવાન ઉદાસીન, વીતરાગ. ડખો કાઢે ડખાતે ! પ્રશ્નકર્તા : આ ડખો થયો અને આપણે નિશ્ચય કર્યો કે આ ડખો નથી કરવો, એ નવો ડખો ના કહેવાય ? દાદાશ્રી : એ ડખો પણ પેલા ડખાને કાઢેને ? પેલા ડખાને કાઢીને આ ડખો થાયને. આ ડખો ઉત્તમ. પ્રશ્નકર્તા : ડખો ડખાને કાઢે. પણ પછીથી આ ડખો રહી જાય છે ? દાદાશ્રી : પેલો ડખો તો આપમેળે જતો રહે. પછીથી કાઢવો ના પડે. સબ ચલે જાવ. તો કહે, ચલે જાયેગા ! બસ ! કાઢવો ના પડે. તને એવું લાગતું’તું કે કાઢવો પડશે એને ? એ ડખો છે પણ એ ડખો એની મેળે જ જતો રહે ! આપણે કહીએ કે આ તમારું કામ પૂરું થયું, જતાં રહો, તો જતાં રહે. પેલા ડખા ના જાય. પેલા ડખા આ ડખાથી જાય. મોક્ષમાર્ગ તો બહુ અઘરો છે. એક ઇંચ પણ મહીં જવું એ બાજુ તો બહુ કિંમતી ગણાય. આત્મા જુદો છે એવું કહે ત્યારે તો મોટો સાયન્ટિસ્ટ ગણાતો હતો. એને ખબર પડે કે આ જુદો છે, બીજું કશું નહીં. તમે તો વળી આગળ પહોંચી ગયા ! ચંદુભાઈ આઇસ્ક્રીમ ખાવા બેઠા હોયને... એમાં ડખો ના કરે તો બે ડીશ ખાઈને ઊઠી જાય, પણ આ તો ડખો કર્યો વળી, આ સરસ છે, અલ્યા ભઈ, બે-ચાર-પાંચ ઠોકી જાવને ! પ્રશ્નકર્તા : એટલે એ પોતે ડખો કરે છે. દાદાશ્રી : હા. હવે ત્યાં પ્રજ્ઞા એને ચેતવે, ‘અલ્યા ભઈ, આવું શા માટે ?” પ્રશ્નકર્તા : ત્રણ-ચાર ઠોકી જાવ' એ બતાવે છે કોણ ? આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ ! દાદાશ્રી : એ જ ! તારો ચારિત્રમોહ. ચારિત્રમોહ ઓગાળી ય શકાય ! આમ જુઓ, જ્ઞાતા-દ્રષ્ટા રહીએ તો ઊડી જાય. અને જાગૃતિ ના રાખી ને નિશ્ચય ના કર્યો, તો ચારિત્રમોહ પેન્ડિંગ રહે ! ૪૨૯ પ્રશ્નકર્તા : પ્રશાશક્તિ બતાવેને, ત્યાંથી તો ઉડાવી શકાય એવું હોય છે. એટલે ડખલ બંધ થાય એવું શક્ય હોય છે. દાદાશ્રી : બરોબર છે. પ્રશ્નકર્તા : પછી વાણીમાં હોય ડખોડખલ ? દાદાશ્રી : હા, હોય. બધામાં ડખોડખલ તો હોયને ! વર્તનમાં હઉ ડખોડખલ હોય. ‘ચાલો’ કહે છે, ‘ઉતાવળ છે !’ રઘવાયો થઈ જાય. શું ત્યાં આમ ગાડી ઉપડી જવાની હોય ? ના. આમ તો હજી વાર હોય. પણ બધે ડખોડખલ જ કર્યા કરે. જ્ઞાતા-દ્રષ્ટા તો બંધ ડખોડખલ ! પ્રશ્નકર્તા : હવે એનો ઉપાય બતાવો, દાદા ! ડખોડખલ બંધ કરવાનો ઉપાય બતાવો. દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાવ એટલે ડખોડખલ બંધ થઈ જાય. પોતાનો ગુણધર્મ જ્ઞાતા-દ્રષ્ટા તો છે. તે જે ચારિત્રમોહ આવ્યો તેને જાણવો કે આ ચારિત્રમોહ છે. તેને જોવું અને જાણવું. જુઓ એટલે જતો રહેશે. પ્રશ્નકર્તા : જોવા-જાણનારા છે, એ જ પોતે ડખલ કરે છે. દાદાશ્રી : જોવા-જાણનારો કરતો હશે ? ડખલ કરનારને તો એ જુએ છે, જાણે છે કે આ ડખલ કરે છે. ડિસ્ચાર્જ અહંકાર ડખોડખલ કરે છે. પ્રશ્નકર્તા : બુદ્ધિ ડખો કરે ? દાદાશ્રી : બુદ્ધિય ડખો કરે, બધાય ડખો કરે. અહંકાર, બુદ્ધિ, ચિત્ત ને મન બધાય એ ડખાવાળા જ છે ને ? પણ મૂળ ગુનેગાર ગણાય અહંકાર.

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296