Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 261
________________ ૪૩૬ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : એ સમજાવોને જરા. દાદાશ્રી : સાહજિક એટલે મન કહે એ પ્રમાણે ચાલવું એ સાહજિક, પોતાને વિચારવાનું કશું નહીં, પોતાને મહેનત કશું કરવાની નહીં, પુરુષાર્થ નહીં. ગાડું જ્યાં જાય ત્યાં જવા દેવું. તેનું નામ સાહજિક, સાહજિક એટલે મહેનત કશું ય નહીં, એની મેળે જ થયા કરે. પ્રશ્નકર્તા: આ મનના કહ્યા પ્રમાણે ચાલે તો સાહજિક. એટલે આ પેલી અજાગૃત અવસ્થામાં, અજ્ઞ દશામાં સાહજિકતા હોય છે એ રીતની સાહજિકતા ? દાદાશ્રી : હા, તે સાહજિક કહેવાય. સાહજિકમાં પુરુષાર્થ ના હોય, ભમરડા જ હોય અને જ્ઞાન થયા પછી સાહજિક તે પરમાત્મા કહેવાય. સહજતા ત્યાં ઊડે કાર્ય-કારણ ! સહજતા એટલે શું કે આ પાંદડું હોયને તે પાંદડાને પવન આમથી ઊડાડે તો આમ ઊડે ને પેલી બાજુ પવન ઊડાડે તો પાછું આમ ઊડે. પોતાનું કંઈ નહીં. પોતાપણું જ નહીં ! પ્રશ્નકર્તા: તો પછી ટૂંકમાં અહંકાર શુન્ય જે કર્મ છે એ જ સહજ છે એમ ? આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ ! ૪૩૭ પ્રશ્નકર્તા એટલે એ વસ્તુ પ્યૉર થઈને ? દાદાશ્રી : હા, પ્યૉર ! અને પ્યૉર થયા પછી કારણ-કાર્ય રહ્યું નહીં ! પ્રશ્નકર્તા : એવું જ આ સહજતાનું થાય ? દાદાશ્રી : હા, બસ. એને કારણ-કાર્ય રહ્યું નહીં. અને સહજતા ખસી ગઈ કે કારણ-કાર્ય ઊભાં થાય. એવું છેને, આ જ્ઞાન પછી ચાર્જમાં તમે ય સહજ છો અને ડિસ્ચાર્જમાં અસહજ છો. કારણ કે પાછલાં જે કોઝિઝ થયેલાં છેને, એનાં પરિણામ આ બાકી છે, તેમાં અસહજ થઈ જવાય છે. પ્રશ્નકર્તા : એટલે ઇફેક્ટમાં અસહજ અને કોઝિઝમાં સહજ. દાદાશ્રી : હા, બસ. પ્રશ્નકર્તા : પણ કોઝિઝમાં બધા લોકો સહજ હોય ? દાદાશ્રી : ના. ફક્ત આપણા જ્ઞાન લીધેલા મહાત્માઓ જ કોઝિઝમાં સહજ છે. પ્રશ્નકર્તા : એમાં પણ પાંચ આજ્ઞામાં હોય એટલા જ સહજ છેને ? દાદાશ્રી : હા. તેટલાં જ, બીજા નહીં ! સહજ સમાધિ ! પ્રશ્નકર્તા : કોઇ વ્યક્તિ સહજ સમાધિની સ્થિતિમાં રહી શકે કે નહીં? દાદાશ્રી : કો'ક જ માણસ રહી શકે. સહજ સમાધિમાં રહે એ જ ભગવાન કહેવાય. પ્રશ્નકર્તા : માનવીનો અંતિમ ધ્યેય તો આ જ હોય ને ? દાદાશ્રી : પોતાની ખોટી માન્યતાઓ છોડી દેવી, એ અંતિમ ધ્યેય. ખોટી માન્યતાઓના લીધે અસહજ થયેલું છે આ. માન્યતા ખોટી છૂટી દાદાશ્રી : હા, એ જ સહજ. પ્રશ્નકર્તા : તો સહજ વર્તના એ શું છે? દાદાશ્રી : એવું છેને, સહજ વર્તના એટલે પેલો ભ્રાંતિનો ભાગ જતો રહ્યો, એનું નામ સહજ ! ભ્રાંતિનો ભાગ જતો રહ્યો ત્યારે રહ્યું શું ? સહજ રહ્યું. પ્રશ્નકર્તા: ‘સહજ’ પછી કર્મ બાંધતું નથીને ? દાદાશ્રી : પછી કર્મ બાંધે જ નહીંને !

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296