Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 243
________________ જ્ઞાતા-દ્રષ્ટા, શાયક ! ૪૦૧ ૪૦૨. આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) હોય તો કંપાયમાન થયા વગર રહે નહીં અને જે સાચો હોય તે કંપાયમાન થાય નહીં. એટલે આ આપણા મહાત્માઓ કંપાયમાન ના થાય. કારણ કે અક્રમ વિજ્ઞાનથી બેઠેલાં, એટલે તો લીફટમાં બેસી ગયેલા. દ્રશ્ય તે દ્રષ્ટા, બે સદા ભિન્ન ! જોવાથી-જાણવાથી કોઈ અસર અડે નહીં. અપમાન આપે ને અભાવ થાય, એ અભાવને જે જુએ એ મહાવીર. માન આપે ને ભાવ થાય, એ ભાવને જુએ તે મહાવીર. તમે તો કહો છો કે આ થાય જ નહીં, ભાવ ને અભાવ, એ કામનું જ નહીં. - જોનારો ને જોવાની વસ્તુ એક થાય નહીં. એક થાય તો આત્મા કહેવાય નહીં, કોઈ દહાડો ય. પ્રશ્નકર્તા : એટલે બે કામ એટ એ ટાઈમ હોવા જોઈએ એમ ? વિજ્ઞાન. એને કશું જ થાય નહીં. કશું અડે નહીં, કશું નડે નહીં, થોડું બીજું જોર કરી જાય. એ કેટલા દા'ડા રહેવાનું છે ? એ ટેમ્પરરી છે ને આપણે પરમેનન્ટ છીએ. જોર કરનાર કોણ છે ? ટેમ્પરરી છે. તારે જે કરવું હોય તે કરને બા. આપણે પરમનેન્ટ છીએ. પરમેનન્ટ ને ટેમ્પરરી શું કરી શકે ? આખા શરીરમાં પરમેનન્ટ જોવા જાય તો આપણે એકલાં જ છીએ. પ્રશ્નકર્તા: એક પળને માટે એનો ચલિતભાવ આવી જાય છે. તરત પાછું ગોઠવાઈ જાય છે. દાદાશ્રી : હા. ઘણાં કાળનો અભ્યાસ ખરો ને એટલે સ્લીપ થઈ જાય જરા. પછી સમજી જવું કે આ બીજું કોઈ નથી, આપણે જ છીએ. વાત એવી ખરી કે સ્લીપ થઈ જાય માણસ, કારણ ઘણાં કાળથી આનું આ જ બધું ભાંગફોડ, ભાંગફોડ બધું. આ તો આ વિજ્ઞાને અટકાવી રાખ્યા છે. આ વિજ્ઞાન છે ને, બધામાં સફળતા લાવે. સંપૂર્ણ સફળતા લાવે. સ્વતે સ્વ જાણે એ મહામુક્ત ! જાણ્યા કરવું એ આપણો સ્વભાવ છે. બગડ્યા કરવું એ પુદ્ગલનો સ્વભાવ છે. જાણનારો એક જ છે. જાણવાની વસ્તુઓ અનંત છે. અન્યને અન્ય જાણે એ મુક્ત. અન્યને અન્ય જાણે અને સ્વને સ્વ જાણે એ મહામુક્ત ! જ્યારે અન્યને અન્ય જાણે, એ સમયે જો મન-વચન-કાયાનો યોગ કંપાયમાન ના થાય તો એ સ્વને સ્વ જાણે અને જો કંપાયમાન થાય તો સ્વને સ્વ જાણું ના કહેવાય. પ્રશ્નકર્તા : “જ્યારે અન્યને અન્ય જાણે, એ સમયે જો મન-વચનકાયાનો યોગ કંપાયમાન ના થાય, તો એ “સ્વ”ને “સ્વ” જાણે.’ આ સમજાવોને, દાદા આ શું કહેવા માગે છે ? દાદાશ્રી : સ્વ એટલે આત્મા અને પર એટલે આ પુદ્ગલ એ અન્ય વસ્તુ છે. એને અન્ય જાણે તે સમયે મન-વચન-કાયા અંદર જે પુગલમાં જ છે, તે કંપાયમાન ના થાય તો “સ્વ” પૂરું થઈ ગયું કહેવાય. કંપાયમાન થાય તો “સ્વ”માં આવ્યો નહીં. એટલે જે કંપાયમાન થાય એ જાણેને, તે કાચો દાદાશ્રી : બે કામ હોય તો જ આત્મા ગણાય ને, નહીં તો ગણાય કેવી રીતે ? પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? દાદાશ્રી : એકલો જ જોનાર હોય, પણ દ્રશ્ય ના હોય તો જુએ શું તે ?! એટલે જોનાર ત્યાં બંધ થઈ જાય છે. એટલે બે જોઈએ, જોવાની ચીજ અને જાણનાર-જોનાર બે હોવાં જોઈએ. એકલાથી કામ થાય જ નહીં ને ! પ્રશ્નકર્તા : ના થાય. પણ આમાં વાંચવું અને વાતો કરવી એ બેઉ વસ્તુ કેમ કહી ? દાદાશ્રી : એ તો આત્મા તેનો તે જ ને ! બધાનામાં આત્મા જ હોય ને ! આત્મા જુએ-જાણે જે કંઈ કરે તેમાં કરનાર કરે પણ એ ના હોય તો કરે શું છે ? પ્રશ્નકર્તા : અને બે વગર તો આ જગત રહેવાનું જ નથી ને !

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296