Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 249
________________ આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ ! ૪૧૩ આત્મા તે પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ ! ડખલ બંધ એ જ સાહજિકતા ! પ્રશ્નકર્તા : આપનાં મતે સાહજિક એટલે શું ? દાદાશ્રી : સાહજિક એટલે મન-વચન-કાયાની ક્રિયાઓ જે થઈ રહી છે, એમાં ડખલ ના કરવી, એનું નામ સાહજિકતા. આ ટૂંકામાં એક જ વાક્યમાં મેં વાત કરી, કેટલું સમજાય છે આમાં ? ન સમજાય તો આગળ બીજું વાક્ય મૂકું ? મન-વચન-કાયાની જે ક્રિયાઓ થઈ રહી છે, તેમાં ડખલ કરવી એ સાહજિક્તા તૂટી ગઈ. ડખલ ન કરવી એ સાહજિકતા. ‘હું ચંદુભાઈ છું’ એ ભાન તૂટી જાય, ત્યારે સહજ થાય. પ્રશ્નકર્તા હવે જે આત્માના ભાનમાં આવ્યો, એનો વ્યવહાર પછી જે છે તે સહજ વ્યવહાર હોય બધો ? ડખોડખલ કાઢવા દાદાતી ડખોડખલ ! સંસાર એટલે શું કે (વ્યવહાર) આત્મા ડખોડખલમાં પડ્યો. અને દેહનો સ્વભાવ કેવો છે ? સહજ છે. તે(વ્યવહાર) આત્મા ડખોડખલ ના કરે, તો દેહ સહજ છે. દેહેય છૂટો અને આત્મા ય છૂટો. આ ડખોડખલથી બંધાયો છે. એટલે આપણે ડખોડખલ બંધ કરાવીએ છીએ. તું આ (ચંદુભાઈ) નથી, તું આ (આત્મા) છું. એટલે એ ડખોડખલ બંધ કરી દે. અહંકાર-મમતા ચાલ્યા ગયા. હવે ડખોડખલ જેટલી બંધ કરીશ, એટલો તું તે (આત્મા)રૂપ થઈ જઈશ, સહજરૂપ. સહજ એટલે ડખોડલ નહીં તે ! આ એની મેળે ચાલે છે ને આ ય એની મેળે, એ બન્ને પોતપોતાની રીતે જ ચાલ્યા કરે છે. આત્મા એના સ્વભાવમાં રહે છે અને આ દેહ એના સ્વભાવમાં રહે છે. દેહાધ્યાસ જતો રહેવાથી, દેહાધ્યાસ બેનો સાંધો હતો એકાકાર થવાનો, તે દેહાધ્યાસ ઉડી ગયો. એટલે આ દેહ દેહના કામમાં અને આત્મા એના કામમાં, એનું નામ સહજતા. આ અમે ડખોડખલ કરીએ છીએ અત્યારે, તે તમારી ડખોડખલ કાઢવા માટે. પછી કોઈને એમ લાગે કે દાદા પોતે જ ડખોડખલ કરે છે. તો એને સમજણ પડી નથી. એ તારી ડખોડખલ કાઢવા માટે કરે છે. એ કાઢીને નિરાંતે બેઠા છે ને તે તારી કાઢી આપે છે. વઢવાનું નહીં ને હસાવી હસાવીને, જાણે હસાવવાની શરત ના કરી હોય આપણે ! આ તો જ્ઞાની પુરુષ તમારા ડખા ને એ બધું, ડખોડખલ બધું બંધ કરી દે અને હસાવી હસાવીને આગળ લઈ જાય. દાદાશ્રી : પોતાના ભાનમાં આવ્યો એટલે પછી વ્યવહારની કશી લેવા-દેવા રહી નહીંને ! વ્યવહાર ચાલ્યા કરે. પ્રશ્નકર્તા : એટલે ઉદયરૂપ વ્યવહાર હોય એનો ? દાદાશ્રી : બસ, બીજું કશું હોય જ નહીં. કર્તાપણું છૂટે ત્યાર પછી એ આત્માના ભાનમાં આવે. જો કર્તાપણું છૂટે એટલે ઉદય સ્વરૂપ રહ્યું. મૂળ આત્મા તે પ્રકૃતિ સહજ, પણ વ્યવહાર આત્મા અસહજ ! પ્રશ્નકર્તા: મન-વચન-કાયાની સહજતા અને આત્માની સહજતા એ વિશે જરા સમજાવોને. દાદાશ્રી : આત્મા સહજ છે જ. જ્ઞાન આપ્યા પછી શુદ્ધાત્મા જે લક્ષમાં આવે છેને, એની મેળે જ લક્ષમાં આવે. આપણે યાદ ના કરવું પડે. જેને યાદ કરીએ એ વસ્તુ ભૂલી જવાય. આ નિરંતર લક્ષ રહે. એ સહજ

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296