Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 245
________________ જ્ઞાતા-દ્રષ્ટા, શાયક !! ૪૦૫ ૪૦૬ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : હા. એ જ ઉપયોગ પણ જ્ઞાયકભાવ રહેવો જોઈએ. જ્ઞાયકભાવ આવી ગયો એ જ ઉપયોગ, ઉપયોગ બીજો કશો નથી અને જ્ઞાયકભાવ ના રહ્યો, એનું નામ ઉપયોગ ગયો. પ્રશ્નકર્તા: તો જ્ઞાયક અને જીજ્ઞાસુમાં શું ફરક ? દાદાશ્રી : બહુ. જ્ઞાયક અને જીજ્ઞાસુમાં કશું સાંધોય ના ગણાય એનો. એટલે એ તો ક્યાં ય ઊભો હશે જીજ્ઞાસુ તો ? જ્ઞાયક તો પોતે પરમાત્મા થયો. જીજ્ઞાસુને તો ગુરૂ કરવાં પડશે, ખોળ ખોળ કરવું પડશે. જીજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને એટલે પુરુષાર્થી થયો છે. પણ આ ક્યાં, જ્ઞાયક તો પોતે જ ભગવાન. જેટલો વખત તમે જ્ઞાયક રહો એટલે વખત તમે ભગવાન. એટલો વખત કેવળજ્ઞાનનાં અંશો ભેગા થાય. પ્રશ્નકર્તા : તમે અમને જ્ઞાયક કરી આપ્યા, એ સ્થિતિમાં મૂકી આપ્યા. પણ જે દશા આપની છે અત્યારે, એ દશા અમારી તો નથી જ ને ? દીધા. એક આ દ્રશ્ય છે, આ શૈય છે. બીજી ભાંજગડ જ નહીં. પ્રશ્નકર્તા : પછી જ્ઞાયકને તો આવો ભેદ વર્તે જ નહીં ને કે આ સારું છે, આ ખોટું છે. દાદાશ્રી : ભેદ જેવી વસ્તુ જ નથી ને ! જ્ઞાયકને, જોનારને ભેદ છે એવી વસ્તુ નથી. ભેદ જેવી વસ્તુ આંધળાને છે. અહંકાર આંધળો છે એટલે એને આ સારું છે અને આ ખરાબ છે એ બધું અને આ દેખતાંને તો એવું કશું છે જ નહીં. પ્રશ્નકર્તા: આપે પૂછેલું કે તમે હિંસામાં છો કે અહિંસામાં છો? તો મેં જવાબ આપ્યો, અહિંસામાં. ત્યારે મને અંદર થયું કે આપણને હિંસા અને અહિંસા શું હોય ? એ બરોબર છે ? દાદાશ્રી : બરાબર છે. આપણે એટલે શુદ્ધ થઈ જાય તેનો વાંધો જ નહીં ને ! શુદ્ધ થઈ જાય તેને કશું રહ્યું નહીંને ! પ્રશ્નકર્તા : તમે અમને અકર્તાપદમાં મૂકી દીધા છે, પછી અમારે દાદાશ્રી : હં, બરાબર છે. પોતે અકર્તાપદ રાખે ! પ્રશ્નકર્તા : પોતે એકદમ જ્ઞાયક સ્વભાવમાં હોય, તો પછી આ ચંદુભાઈથી જીવની હિંસા થઈ ગઈ તો એને કશી લેવા-દેવા હોતી જ નથી ને ? દાદાશ્રી : ના, એવું છે ને, એ દશાને પ્રાપ્ત કરનારા બધા એક જ ગણાય છે. કારણ કે અવસ્થાની આધિ-વ્યાધિ બધી જ છૂટી જાય છે. પ્રશ્નકર્તા: હા, એ તો આધિ-વ્યાધિ બધી નીકળી જાય છે. દાદાશ્રી : તો બસ, આધિ-વ્યાધિ-ઉપાધિ નડે નહીં એ જ્ઞાન સાચું. પછી કશું પુસ્તક વાંચવું ના પડે, આગળ કશું કાચું ના પડે એ જ્ઞાન સાચું. જેને વાંચ પાંચ જ કરવું પડે એનો ક્યારે પાર આવે ? ‘હું કરું છું' ને ‘હું જાણું છું’ એનું મિશ્ચર, એનું નામ શેય અને હું જાણું છું ને કરતો નથી, એનું નામ જ્ઞાયક ભાવ. પ્રશ્નકર્તા : આ હિંસા છે, આ અહિંસા છે. આ સારું છે, આ ખોટું છે એવા બધા કંકો છે. તો એ લંક જ્ઞાયકને વર્તે ખરાં કે એ તો ખાલી જોયા કરે એને ? દાદાશ્રી : એને તો બધું જોય જ છે, શેય અને દ્રશ્ય બે ભાગ પાડી દાદાશ્રી : જ્ઞાયકને કશી લેવા-દેવા ના હોય. પ્રશ્નકર્તા : એટલે આપ એમ જ કહો છો કે લેવાદેવા ચંદુભાઈને છે. એટલે ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવો, તમારે કરાવવું હોય તો. દાદાશ્રી : જેને થઇ ગયું તેને લોકો કહે કે શું આ કેવાં માણસો છે ! જુઓને, આને મારી નાખ્યું તમે જેણે કર્યું તેને કહે લોકો. જ્ઞાયકને કોઈ કહે નહીં. જ્ઞાયકને કર્મ બંધાય નહીં. જ્ઞાયકને લેવાદેવા કહ્યું છે ય નહીં !

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296