Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 237
________________ જ્ઞાતા-દ્રષ્ટા, સાયક ૩૮૯ 360 આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : બેઉમાં સમાનતા રાખવી એ જ્ઞાન. પ્રશ્નકર્તા : બન્ને ડિસ્ચાર્જ જ છે. દાદાશ્રી : બેઉ ડિસ્ચાર્જ છે એટલે અમે જે કહીએ છીએ એ શબ્દેશબ્દ જો સમજી લે ને તો કામ થઈ જાય. પ્રશ્નકર્તા ઃ હવે લક્ષ એ તરફ જ છે કે દાદાનું વિજ્ઞાન સમજવું છે. દાદાશ્રી : હા. ગલતને “જોયા’ કરો ! પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછીનું જે ગલન છે એ જોયા જ કરવાનું કે એને વેગ આપવા માટે કંઈક કરવું ? દાદાશ્રી : વેગ આપનાર કોણ ? કર્તા ઊડી ગયો પછી વેગ આપનાર કોણ ? કરીએ. શેય ના હોય તો જ્ઞાતા ઊડી જાય. એટલે આ શેય છે તે સિનેમાની પેઠ છે. મન ઠેઠ સુધી દેખાડશે. એટલે જ્ઞાતા ઊડે નહીં. જોતાસે ચૈતત્યપીંડ શુદ્ધાત્મા ! પ્રશ્નકર્તા : અને જે જોયા કરવાનું, કોને જોયા કરવાનું ? કોણ જોયા કરે ? દાદાશ્રી : જે શુદ્ધાત્મા થયો, જ્ઞાતા થયો, એ જોયા કરે. પ્રશ્નકર્તા: દાદા, એવું છે કે આ જે શુદ્ધાત્માનો અનુભવ અમને થયો એ ઉપરથી અમારા મનમાં એવો ખ્યાલ આવે છે કે એ તો એક ચૈતન્યપિંડ છે, એમાં શું કરવાનું ને શું જોવાનું હોય ? દાદાશ્રી : જોનાર પોતે છે, જે ચૈતન્યનો પિંડ છે એ જોનાર છે. એ શેને જુએ છે ? શેયને જુએ છે. એટલે વિચારો એ જોય છે અને તમે જ્ઞાતા છો. જ્ઞાતાને ય ન દેખાય ત્યાં સુધી એ વ્યવહાર કહેવાય નહીં. જોય ને જ્ઞાતા એકાકાર ના થાય, એનું નામ જ્ઞાન. શેયમાં પરિણામ પામવાનું નથી. પહેલાં જોયમાં પરિણામ પામીને તો સંસાર ઊભો થયો છે. વિચારો એ જડ વસ્તુ છે. એમાં જરાય ચેતનતા નથી. એમાં પરિણામ પામીને આ સંસાર ઊભો થયો છે. ભટક ભટક, અનંત અવતારથી ભટક્યા તો ય ઠેકાણું પડે નહીં અને આમાં તો આ પોતે જ્ઞાતા થયો. શેયને જુએ, બધા શેયોને જુએ. ક્રિયા કર્યા સિવાય જુએ. ઝળકે પોતાના જ્યોતિ સ્વરૂપમાં. એના માટે હવે કોઈ એવી ક્રિયા નથી કરવાનું, એમ ને એમ ઝળકે બધું જ એમાં. પ્રશ્નકર્તા : એટલે આ જ્યોતિ સ્વરૂપ તમે કહ્યું એમાં ઝળકે એ બરાબર છે, પણ આ જ્ઞાતા-દ્રષ્ટા જે રહેવાનું છે એ જ્યોતિ સ્વરૂપને રહેવાનું છે ? દાદાશ્રી : એ જ. જેનામાં ઝળકે છે, તે જ જ્ઞાતા-દ્રષ્ટા. તે જ્યોતિ સ્વરૂપ છે, જ્ઞાયક છે, શુદ્ધાત્મા છે. તેનો તે એકનો એક જ, એમાં બીજો નહીં. પ્રશ્નકર્તા અને એની મેળે થવા જ દેવાનું. દાદાશ્રી : જોયા જ કરવાનું. જે થાય એ જોયા જ કરવાનું. જે આપણે પૂરણ કર્યું'તું, એ હવે એનું ફળ આપીને ગલન થશે. કડવું હશે તે કડવું ને મીઠું હશે તે મીઠું. બન્ને ફળ આપીને ગલન થાય, તે આપણે જોયા કરવાનું. વેગ આપવાનો એમ કશો ડખો જ નહીં કરવાનો. હવે આ સીધા સાયન્સમાં જો સહેજે ભૂલ્લ ખાય તો માર પડી જાય એવું છે. ફેરફાર થઈ જાય તો મારી પાસે આવજો, હું ફરી ઓપરેશન કરી નાખીશ. અણસમજણથી ફેરફાર થઈ જવાનો સંભવ ખરોને ! પ્રશ્નકર્તા: આપણે છોડી દઈએ એ ભૂલ ? દાદાશ્રી : જ્ઞાતાપણું છોડાય જ નહીં. જ્ઞાતાપણું જ આપણો સ્વભાવ છે ને અને શેય તે નિરંતર હોય છે જ. એ જે મન છે ને, તે ઠેઠ આયુષ્ય પૂરું થતાં સુધી એ ફાઈલ દેખાડ્યા કરશે. એ દેખાડ્યા કરે ને આપણે જોયા

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296