Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 164
________________ શુદ્ધ ઉપયોગ ૨૬૫ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) દ્રષ્ટા તરીકે રહેવાનું, કે આ ચંદુભાઈનું મન શું કરી રહ્યું છે, બુદ્ધિ શું કરી રહી છે. શુદ્ધ ઉપયોગમાં રહો એટલે વીતરાગ રહી શકે છે. પ્રશ્નકર્તા: એ શુદ્ધ ઉપયોગમાં જ્યારે હોય ત્યારે મનમાં પાછા કો'ક વખત કંઈ વિચારો આવેય ખરા. દાદાશ્રી : તેનો કંઈ વાંધો નહીં. એ છોને આવે ને જાય, મહીં વખતે ચઢી બેઠા હોય તો ય વાંધો નથી. પણ આપણે શુદ્ધ ઉપયોગ ન ચૂકવો જોઈએ. પ્રશ્નકર્તા: પણ એમાં જે વિચારો આવ્યા એ પછી જોવાના જ રહે છેને, એમાં તદ્દરૂપ થાય તો મુશ્કેલી ઊભી થાય છે. દાદાશ્રી : ના, જોવાના વખતે નાય બને. જોવાના વખતે તો ઉપયોગ જ છે, પણ વખતે કેટલીકવાર જોવાનું ના બને. તદુંરૂપ સહેજ થઈ જાય, પણ તેથી કંઈ બગડતું નથી. એ તો પૂર્વકર્મ બહુ જાડું હોયને તો એને પોતાને બહુ ગુંલાટ હઉ ખવડાવી દે. પણ તેથી કંઈ નવું કર્મ બંધાતું નથી. સામાયિક સમયે ઉપયોગ ! પ્રશ્નકર્તા: આપણે જે કંઈ સામાયિક કરીએ છીએ, જે કંઈ વિચારો આવે, એને જોયા એનું પરિણામ શું આવે છે ? દાદાશ્રી : એનાથી શુદ્ધ ઉપયોગ રહે. વિચારને જોવો એ જ આપણો જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ. પોતાના સ્વભાવમાં આવ્યા, એનું નામ શુદ્ધ ઉપયોગ કહેવાય. એટલે એ સામાયિકમાં જો કદી તમે વિચારોને જુઓ તો પછી શુદ્ધ ઉપયોગમાં છો જ. પ્રશ્નકર્તા : દાદા, સામાયિક વખતે કેવો ઉપયોગ રહે ? દાદાશ્રી : સામાયિક વખતે ય ઉપયોગ જાગૃતિ સારી રહે. બીજું શું ? ઉપયોગ જ કહીએ છીએ આપણે એને. પ્રશ્નકર્તા : ખરી રીતે તો એ ઉપયોગ નથી જ ને, દાદા ? દાદાશ્રી : ખરી રીતે તો ઉપયોગ ના કહેવાય. એટલે શુદ્ધ ઉપયોગ એ બહુ જુદી વસ્તુ છે. પ્રશ્નકર્તા : દાદા, આપને કેવો ઉપયોગ રહે છે ? દાદાશ્રી : એ તો ઉપયોગ ઓર જ જાતનો. એ તો આત્મચારિત્ર કહેવાય ! એ તો તમને ના રહે પણ એમ માનો કે અમુક કક્ષાનો, તમારી કક્ષાનો તો રહેજે ! પ્રશ્નકર્તા : એ શું હોય ? એ જરા કહો તો ખરા. દાદાશ્રી : આત્મા એ દરઅસલ સ્વરૂપે હોય. પ્રશ્નકર્તા : આ કહે છે, મને આવું રહ્યું. આ પ્રસંગમાં. તો આપને શું રહે ? દાદાશ્રી : બહુ ઊંચું. એ હાલે જ નહીંને ! કશું હાલે જ નહીં, પૃથક્કરણ થયા કરે. આ ખાનાર કોણ ? ને એવું તેવું હોય નહીંને કશું. બધી એક્ઝક્ટનેસ હોય. એણે પેલા ભાઈ બેઠા હોય, તું અહીં બેઠો હોય. એક ફેરો એમને જોઈ લીધા પછી છે તે, એ ત્યાં બેઠેલા છે એવું તને ખબર જ પડેને ? પ્રશ્નકર્તા : હા. ખબર જ પડી જાય. દાદાશ્રી : પછી વારેઘડીએ એને ત્યાં તપાસ કરે નહીં કે એ ભાઈ બેઠા છે કે નથી બેઠા ? કોણ બેઠું છે, કોણ નહીં ? પ્રશ્નકર્તા : એ તપાસ ના કરવી પડે. દાદાશ્રી : એટલે ‘હું મારી સીટ ઉપર, એ એની સીટ ઉપર. આ અંબાલાલ એમની સીટ ઉપર, બધું પોતપોતાની સીટ ઉપર જ હોય. આઘાપાછા નહીં, એક્ઝક્ટનેસ હોય. તમારે એ તો મશીનરી ચાલુ થઈ ગઈ. એટલે ખાનાર કોણ ? ફલાણું કોણ ? આમ કોણ ? તેમ કોણ ? એ જાગૃતિ બધું દેખાડે. આગળ પછી તો એક્કેક્ટનેસ જોઈએને ? એવું કશું તો વિચાર જ ના આવવા જોઈએ. એવું કૂદાકૂદ પરિણામ ના હોય.

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251